________________
ઉત્તર
૧૨
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૬૮. નરકત્રિકનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે? શાથી?
નરકગતિ-નરકાનુપૂર્વી-નરકાયુષ્ય આ ત્રણ પ્રકૃતિઓને ભવ પ્રત્યયથી દેવતા તથા નારકીનાં જીવો બાંધતા નથી. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિર્યંચો બાંધે છે અને તેઓ અતિ સક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન
હોય ત્યારે આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રશ્ન ૬૯. નરકત્રિક પ્રકૃતિની કેટલી સ્થિતિ બંધાતા ઉત્કૃષ્ટ રસબંધ
થાય ? ઉત્તર નરકત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે. પ્રશ્ન ૩૦ તિર્યંચાયુષ્ય તથા મનુષ્પાયુષ્યનો ઉત્કૃષ્ટ રસબંધ કોણ કરે ?
શાથી ? ઉત્તર આ બે પ્રકૃતિઓ શુભ (પુણ્ય) પ્રકૃતિઓ છે. તે કારણથી તપ્રાયોગ્ય
વિશુદ્ધિમાં વિદ્યમાન જીવો ઉત્કૃષ્ટ રસ બાંધે છે. આ બે પ્રકૃતિઓને નારકી તથા દેવતાઓ પણ બાંધે છે. પણ તેઓને તપ્રાયોગ્ય અતિવિશુદ્ધિ પેદા થતી ન હોવાથી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કરતાં નથી. આ જીવો સંખ્યાત વર્ષનું આયુષ્ય બાંધતા હોવાથી તેઓને આ વિશુદ્ધિ પેદા થતી નથી તે કારણથી મનુષ્યો અને તિર્યંચો તપ્રાયોગ્ય વિશુદ્ધિમાં વિદ્યમાન હોય ત્યારે
આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધે છે. પ્રશ્ન ૭૧. તિર્યંચ તથા મનુષ્યનો ઉત્કૃષ્ટ રસ કેટલી સ્થિતિ બાંધતા
બંધાય કયા ગુણસ્થાનકે બંધાય ? તિર્યંચાયુષ્ય તથા મનુગાયુષ્યની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ બાંધતાં પહેલા ગુણસ્થાનકવાળા મિથ્યાદ્રષ્ટિ જીવો (મનુષ્ય-તિર્યંચો) ઉત્કૃષ્ટ રસ
બાંધે છે. પ્રશ્ન ૭૨. તિર્યંચદ્રિક તથા છેવટ્ટે સંઘયણ આ ત્રણ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ
રસબંધ કયા જીવો બંધ છે? ઉત્તર તિર્યંચદ્દિક (તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી) આ બે પ્રકૃતિ તથા છેવહૂ સંઘયણનો
ઉત્કૃષ્ટ રસ દેવતા તથા નારકીનાં જીવો બાંધે છે. પ્રશ્ન ૭૩. તિર્યંચદ્ધિકનો ઉત્કૃષ્ટ રસબંધ દેવતા તથા નારકી શાથી કરે? ઉત્તર તિર્યંચદ્રિકનો ઉત્કૃષ્ટ રસબંધ અતિ સક્લિષ્ટ પરિણામથી થાય છે. મનુષ્યો
તથા તિર્યંચો અતિ સંક્લિષ્ટ પરિણામ હોય ત્યારે નરકગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તે કારણથી મનુષ્યો તથા તિર્યંચો જેવા અતિ સંક્લિષ્ટ પરિણામ દેવતા તથા નારકીઓને પેદા થાય ત્યારે આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, તે કારણથી દેવતા અને નારકી કહ્યા છે.
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org