SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઉત્તર દત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૬૧. એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓની કેટલી કેટલી સ્થિતિ બાંધતાં તેનો ઉત્કૃષ્ટ રસ બંધાય ? ઈશાન સુધીનાં મિથ્યાદ્રષ્ટિ દેવતાઓ આત૫ નામકર્મની જઘન્ય સ્થિતિ બાંધતા ઉત્કૃષ્ટ રસ બાંધે તથા એકેન્દ્રિય અને સ્થાવર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં ઉત્કૃષ્ટ રસબંધ કરે છે. પ્રભ ૬ર વિકલેન્દ્રિયાત્રિક, સુક્ષ્મત્રિક, નરકનિક, તિર્યંચાયુગ તથા મનુષ્પાયુષ્ય આ ૧૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ક્યા ક્યા જીવો કરે? ઉત્તર વિકસેન્દ્રિયત્રિક આદિ અગીઆર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સની પંચેન્દ્રિય પર્યાપ્તા, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિર્યંચો કરે છે. પ્રશ્ન ૬૩. વિકલેન્દ્રિત્રિકનો ઉત્કૃષ્ટ રસબંધ મનુષ્યો તથા તિર્યંચો શાથી કરે છે? બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચેન્દ્રિય જાતિને દેવતા તથા નારકીના જીવો ભવ પ્રત્યયથી બાંધતા નથી, મનુષ્ય તથા તિર્યંચો બંધ કરે છે. તથા અતિ સંકિલષ્ટ અધ્યવસાયમાં રહેલા મનુષ્યો અને તિર્યંચો નરકગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી તપ્રાયોગ્ય સંકિલષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન મનુષ્યો તથા તિર્યંચો ઉત્કૃષ્ટ રસે બાંધે છે. પ્રમ ૬૪. તપ્રાયોગ્ય સંકલેશ અધ્યવસાય એટલે શું ? ઉત્તર જે અધ્યવસાયથી તેનો રસ ઉત્કૃષ્ટ બાંધી શકાય એ અધ્યવસાય. તેનાથી અધિક અધ્યવસાયનો પરિણામ થાય તો રસ ન બંધાય તથા ઓછો અધ્યવસાય હોય તો પણ રસ ન બંધાય તે કારણથી તપ્રાયોગ્ય સંકલેશ અધ્યવસાય કહેવાય છે. પ્રમ ૬૫. વિકલેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ રસ કેટલી સ્થિતિ બાંધતા બંધાય ? શાથી ? ઉત્તર વિલેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ રસબંધ તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા બંધાય છે. અશુભ પ્રકૃતિઓનો સ્થિતિબંધ તેટલો હોય છે. પ્રમ ૬૬. સૂકમ-અપર્યાપ્ત-સાધારણનો ઉત્કૃષ્ટ રસબંધ કયા જીવો કરે છે? શાથી? સૂકમત્રિક પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનો તથા તિર્યંચો તપ્રાયોગ્ય સંકલેશ અધ્યવસાયથી બાંધે છે. નારકી તથા દેવતાઓ ભવ પ્રત્યયથી આ ત્રણ પ્રકૃતિઓને બાંધતા નથી. પ્રભ ૬૭. સૂમત્રિકની કેટલી સ્થિતિ બાંધતા ઉત્કૃષ્ટ રસબંધ થાય ? શાથી ? ઉત્તર સુક્ષત્રિને ઉત્કૃષ્ટ રસબંધ તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા જીવો બાંધે છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy