SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ ભાવાર્થ - એકેન્દ્રિયજાતિ સ્થાવર તથા આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ રસ બંધ મિથ્યાદ્રષ્ટિ દેવતા કરે વિલેન્દ્રિયત્રિક-સૂક્ષ્મત્રિક-નરકત્રિક-તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય આ ૧૧ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાત્વી તિર્યંચો તથા મનુષ્યો કરે છે. તિર્યંચદ્રિક તથા છેવા સંઘયણનો ઉત્કૃષ્ટ રસબંધ દેવતા તથા નારકી કરે ૬૬ વૈક્રીયદ્રીક, સુરટ્રીક, આહારદ્રીક, શુભવિહાયોગતિ, વર્ણચતુ, વૈજસચતુષ્ક, જિનનામ, શાતાવેદનીય, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ત્રસદશક, પંચેન્દ્રિયજાતિ, ઊચ્છ્વાસ અને ઊચ્ચગોત્ર આ ૩૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સૂક્ષ્મસંપરાય તથા અપૂર્વકરણ ગુણવાળા ક્ષપક જીવો કરે છે ૫૬ના ઊદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ સાતમી નારકીના જીવો બાંધે મનુષ્યદ્રીક, ઔદારિકક્ટ્રીક, પહેલા સંઘયણનો સય્યદ્રષ્ટિ દેવતા ઉત્કૃષ્ટ રસે બાંધે છે. અપ્રમત્તયતિ દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ રસ બાંધે બાકીની ૬૮ પ્રકૃતિઓને ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો ઉત્કૃષ્ટ રસે બાંધે છે. ૬૮૫ પ્રશ્ન ૫૬. એકેન્દ્રિય-સ્થાવર અને આતપ આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બંધ કોણ કરે ? ઉત્તર પ્રશ્ન ૫૭. એકેન્દ્રિય-સ્થાવર આ બે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ કયા અધ્યવસાયથી થાય ? શાથી ? ઉત્તર એકેન્દ્રિયજાતિ-સ્થાવર અને આતપ નામકર્મ આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ તથા વૈમાનિકના પહેલાં બીજા દેવલોકના દેવો કરે છે. પ્રશ્ન ૫૮. આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ રસ કયા અધ્યવસાયથી થાય ? શાથી ? ઉત્તર આતપ નામકર્મ શુભ પ્રકૃતિ હોવાથી તત્પ્રાયોગ્ય વિશુદ્ધિમાં રહેલ જીવોનાં અધ્યવસાયથી ઉત્કૃષ્ટ રસ બંધાય છે. પ્રશ્ન ૫૯. એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ મિથ્યાદ્રષ્ટિ દેવતાઓ જ શા માટે કરે ? બીજા જીવો શા માટે નહીં ? એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓને મનુષ્ય તથા તિર્યંચો બાંધે છે, પણ ઉત્કૃષ્ટ રસ બાંધવા માટે જેવો સંક્લેશ આદિ અધ્યવસાય જોઈએ એવા અધ્યવસાયથી નરક પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરે છે. તેથી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બંધ કરતાં નથી. નારકીનાં જીવો તથા વૈમાનિકના બીજા દેવલોકથી ઉપરનાં દેવતાઓ ભવ પ્રત્યયથી આ પ્રકૃતિઓનો બંધ કરતા જ નથી. પ્રશ્ન ૬૦. એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓને દેવતાઓ કયા અધ્યવસાયથી બાંધે ? શાથી ? ઉત્તર એકેન્દ્રિય તથા સ્થાવર આ બે પ્રકૃતિઓ અશુભ હોવાથી અતિ સંક્લિષ્ટ અધ્યવસાયમાં ઉત્કૃષ્ટ રસ બંધાય છે. ઉત્તર મિથ્યાદ્રષ્ટિ ઈશાન સુધીનાં દેવતાઓને મનુષ્ય તથા તિર્યંચોને જેવા અતિ સંક્લિષ્ટ પરિણામ હોય, તેવા પરિણામ પ્રાપ્ત થાય ત્યારે ત્યાં નરક પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ ન હોવાથી તથા તિર્યંચમાં એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધે છે. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy