________________
ઉત્તર
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૪૦. એક ટાણીયો રસ કયા વિશુદ્ધ અધ્યવસાય વડે બંધાય ? ઉત્તર એક ઠાણીયો રસ ક્ષપકશ્રેણીવાળા જીવો જે પ્રકૃતિઓનો નવમા-દશમા
ગુણસ્થાનકે બંધ વિચ્છેદ કરે છે. ત્યારે એક ટાણીયા રસવાળી પ્રકૃતિઓનો
એક સ્થાનિક રસ બાંધે છે. પ્રશ્ન ૪૧. ઊપશમ શ્રેણીમાં ચઢતા જીવો નવમા-દશમા ગુણસ્થાનકે
કેટલો રસ બાંધે છે ? શાથી? ઉપશમશ્રેણીમાં ચઢતાં જીવો નવમા તથા દશમા ગુણસ્થાનકે ૨ સ્થાનિક રસ બાંધે છે. કારણ ક્ષપકશ્રેણીવાળા જીવોની જે વિશુદ્ધિ હોય છે તેનાથી આ
જીવોની વિશુદ્ધિ ઓછી હોય છે. પ્રમ ૪૨ ઊપશમ શ્રેણીથી પતિત થયેલા જીવો નવમા દશમા
ગુણસ્થાનકે કેટલો રસ બાંધે ? શાથી ? ઉપશમશ્રેણીથી પતિત થઈ નવમા-દશમા ગુણસ્થાનકે આવેલ જીવો સંકલેશ પરિણામવાળા હોવાથી ચાર સ્થાનિકરસ ઉપાર્જન કરે છે. નિબુચ્છ રસો સહજો દુતિ ચ ભાગ કઢિ ઈક્ક ભાગતો. ઇગ દાણાઇ અસુહો
અસુહાણ સુહો સુહાણ તુ w૬પા ભાવાર્થ - લીમડા અને શેરડીનો સ્વાભાવિક રસ તથા તે બે-ત્રણ અને ચાર ભાગે ઊકાળેલો, એક ભાગ રહે તે અશુભ પ્રકૃતિનો એક ઠાણીયો વગેરે અશુભ રસ અને શુભ પ્રકૃતિનો શુભ રસ જાણવો. ૬પા પ્રમ ૪૩. એક ઠાણીયો રસ કોને કહેવાય ? શુભ-અશુભ પ્રકૃતિઓનો
રસ કેવો કેવો હોય ? લીમડાનો એક શેર જે સ્વાભાવિક રસ તે અશુભ પ્રકૃતિઓનો એક ઠાણીયો રસ કહેવાય. શેરડીનો એક શેર સ્વાભાવિક જે રસ તે શુભ પ્રકૃતિઓનો એક
ઠાણીયો રસ કહેવાય છે. પ્રશ્ન ૪૪. શુભ-અશુભ પ્રકૃતિઓનો બે ઠાણીયો રસ કોને કહેવાય ? ઉત્તર લીમડાના એક શેર રસને ઉકાળતાં અડધોઅડધ ભાગ જે બાકી રાખવામાં
આવે તે અશુભ પ્રકૃતિનો બે દાણીયો રસ કહેવાય. શેરડીના એક શેર રસને ઉકાળતાં જે અડધો અડધ ભાગ બાકી રાખવામાં આવે તે શુભ પ્રકૃતિનો બે
Aણીયો રસ કહેવાય. પ્રમ ૪૫. અશુભ તથા શુભ પ્રકૃતિનો ત્રણ ટાણીયો રસ કોને કહેવાય?
લીમડાના એક શેર રસનાં ત્રણ ભાગ ઉકાળી એક ભાગ રાખવામાં આવે એટલે પોણો શેર રસ ઊકાળી પા શેર રાખવામાં આવે તે ત્રણ ટાણીયો રસ અશુભ પ્રકૃતિઓનો કહેવાય છે. એ જ રીતે શેરડીના એક શેર રસને પોણો
ઉત્તર
ઉત્તર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org