________________
ઉત્તર
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૨૪. અનંતાનુબંધી આદિકષાયો કોના કોના જેવા કહ્યા છે ?
અનંતાનુબંધી કષાય પર્વતની રેખા સમાન એટલે પહાડની તીરાડ જેવો કહેલો છે. અપ્રત્યાખ્યાનીય કષાય તળાવમાં રહેલ પાણી સુકાઈ જાય તેની માટીમાં પાડેલી રેખા સમાન કહ્યો છે. પ્રત્યાખ્યાનીય કષાય ધૂળ (રજ)માં પાડેલી રેખા સમાન કહ્યો છે. સંજવલન કષાય પાણીમાં પાડેલ રેખા સમાન
કહેલ છે. પ્રશ્ન ૨૫. અનંતાનુબંધી કષાયથી જીવો શુભાશુભ પ્રકૃતિઓનો રસ
કેટલો પેદા કરે ? પર્વત રેખા સમાન અનંતાનુબંધી કષાયથી જીવો બંધાતી એવી અશુભ પ્રકૃતિઓનો-૪ ઠાણીયો રસ પેદા કરે તથા બંધાતી એવી શુભ પ્રકૃતિઓનો
બે ઠાણીયો રસ પેદા કરે છે. અર્થાત બાંધે છે. પ્રશ્ન ૨૬. અપ્રત્યાખ્યાનીય કષાયથી શુભાશુભ પ્રકૃતિનો સામાન્યથી
રસ કેટલો કેટલો બાંધે ? ઉત્તર અપ્રત્યાખ્યાનીય કષાયથી બંધાતી એવી અશુભ પ્રકૃતિઓનો સામાન્યથી ત્રણ
દાણીયો રસ બાંધે છે. તથા બંધાતી એવી શુભ પ્રકૃતિઓનો પણ ત્રણ ઠાણીયો
રસ બાંધે છે. પ્રમ ૨૭. અપ્રત્યાખ્યાનીય કષાયથી શુભાશુભ પ્રકૃતિઓનો ત્રણ
દાણીયો રસ શી રીતે જાણવો ? ઉત્તર અપ્રત્યાખ્યાની તીવ્ર (સંકલેશ) કષાયથી અશુભ પ્રકૃતિનો ત્રણ ટાણીયો રસ
જાણવો તથા શુભ પ્રકૃતિનો, અપ્રત્યાખ્યાનીય કક્ષાયની મંદતા (વિશુદ્ધિ)થી
ત્રણ દાણીયો રસ બંધાય છે એમ જાણવું. પ્રશ્ન ૨૮. એક સ્થાનકમાં ચઢતાં પરિણામ તથા પતિત (પડતા)
પરિણામ કેટલા કેટલા હોય ? ઉત્તર એક સ્થાનકમાં ચઢતાં પરિણામ અસંખ્યાતા હોય છે તેમજ પડતાં (પતિત)
પરિણામો પણ અસંખ્યાતા કહેલા છે. પ્રશ્ન ૨૯. પ્રત્યાખ્યાનીય કષાયથી શુભાશુભ પ્રકૃતિઓનો રસ કેટલો
કેટલો બંધાય ? ઉત્તર પ્રત્યાખ્યાનીય કષાયના ઊદયથી બંધાતી અશુભ પ્રકૃતિઓનો બે દાણીયો રસ
બંધાય છે. તથા બંધાતી શુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયો મંદ રસ બંધાય છે. પ્રશ્ન ૩૦. સંજવલન કષાયથી બંધાતી શુભાશુભ પ્રકૃતિઓનો રસ કેટલો
કેટલો બંધાય ? ઉત્તર સંજવલન કષાયના ઊદયથી બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ એક ઠાણીયો
બંધાય છે. તથા બંધાતી શુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયો રસ તીવ્ર બંધાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org