________________
ઉત્તર
ઉત્તર
કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૧૪. આવા રસ સ્પર્ધકો કેટલા હોય ? તે રસ સ્પર્ધકોનાં
સમુદાયને શું કહેવાય ? ઉત્તર આવી રીતે અભવ્યથી અનંતગુણ તથા સિદ્ધનાં જીવનાં અનંતમા ભાગ જેટલા
સ્પર્ધકો થાય ત્યારે તે સ્પર્ધકોનાં સમુદાયને એક રસ સ્થાનક કહેવાય છે. પ્રશ્ન ૧૫. સઘળાંય સ્પર્ધકને આંતરે શું શૂન્ય હોય? ઉત્તર સઘળાં સ્પર્ધકને આંતરે સર્વ જીવો કરતાં અનંતી શૂન્ય વર્ગણાઓ હોય છે. પ્રભ ૧૬. રસ સ્થાનકો કેટલાં હોય છે? ઉત્તર આવા રસ સ્થાનકો દરેક આત્મપ્રદેશ ઉપર અનંતા અનંતા હોય છે. પ્રશ્ન ૧૭. અશુભ તથા શુભ રસ કોના સરખો કહેલો છે? ઉત્તર અશુભ રસ લીમડાના રસ જેવો જ્યારે શુભ રસ શેરડીના રસ જેવો કહેલો છે. પ્રમ ૧૮. અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ ક્યા પરિણામથી બંધાય ?
અશુભ ૮૨ પ્રકૃતિઓનો તીવ્ર રસ સંક્લેશ, એટલે કે કષાયની તીવ્રતાથી
જીવો બાંધે છે. તીવ્ર રસ એટલે (ચાર ઠાણીયો) રસ જાણવો. પ્રભ ૧૯. શુભ પ્રકૃતિઓનો તીવ્રરસ કયા પરિણામથી જીવો ઉપાર્જન
કરે છે ? શુભ (૪૨) પ્રકૃતિને તીવ્ર (ચાર ઠાણીયો) રસ વિશુદ્ધિ વડે એટલે કે
કષાયની માત્રા જેમ જેમ મંદ થતી જાય તેમ તેમ બંધાય છે. પ્રમ ૨૦. અશુભ પ્રવૃતિઓનો મંદ રસ શાથી બંધાય ? ઉત્તર જેમ જેમ કષાયની માત્રા ઓછી થતી જાય એટલે સંલેશ ઓછો થતો જાય
તેમ તેમ અશુભ પ્રકૃતિઓનો મંદ રસ બંધાય છે. પ્રશ્ન ૨૧. શુભ પ્રકૃતિઓનો મંદ રસ શાથી બંધાય ? ઉત્તર જેમ જેમ જીવો વિશુદ્ધિમાંથી સંક્લેશ અધ્યવસાયવાળા થતાં જાય અને
સંકલેશતા વધતી જાય તેમ તેમ બંધાતી શુભ પ્રકૃતિઓનો મંદ રસ બંધાય છે. પ્રશ્ન ૨૨. સંકલેશ અધ્યવસાયમાં રહેલાં જીવો શુભાશુભ કર્મનો રસ
કેવો કેવો ઊપાર્જન કરે ? ઉત્તર જ્યારે જીવો તીવ્ર સંલેશ અધ્યવસાયમાં રહેલા હોય છે ત્યારે બંધાતી એવી
શુભ પ્રકૃતિઓને મંદ રસ (જઘન્ય રસ) બાંધે છે. તથા બંધાતી એવી અશુભ
પ્રકૃતિઓનો તીવ્ર (ઉત્કૃષ્ટ) રસ બાંધે છે. અર્થાત્ ઊપાર્જન કરે છે. પ્રમ ૨૩. વિશુદ્ધ અધ્યવસાયમાં વિદ્યમાન જીવો શુભાશુભ કર્મનો રસ
! કેવો કેવો ઊપાર્જન કરે છે ? ઉત્તર જ્યારે જીવો વિશુદ્ધ અધ્યવસાયમાં હોય છે. ત્યારે બંધાતી એવી અશુભ
પ્રકૃતિઓનો મંદ (જઘન્ય) રસ બંધાય છે. તથા બંધાતી એવી શુભ પ્રકૃતિ ઓનો તીવ્ર (ઉત્કૃષ્ટ) રસ બંધાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org