SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૮૭ આ ૮૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ બાદર પર્યામા એકેન્દ્રિય જીવો કરે છે. ૩૩૮.આ ૮૫ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ બાદર-પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને શા માટે ? બીજા એકેન્દ્રિય આદિ જીવો કેમ નહિ ? ઉત્તર આ ૮૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ વિશુદ્ધિમાં જીવ હોય ત્યારે થાય છે. તે કારણથી બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને જે વિશુદ્ધિ હોય છે તેવી વિશુદ્ધિ સૂમ અપર્યાપ્તા, સૂક્ષ્મ પર્યાપ્તા તથા બાદર અપર્યામા એકેન્દ્રિય જીવોને હોતી નથી તે કરણથી ઘણી સ્થિતિનો બંધ કરે છે માટે જધન્ય સ્થિતિ માટે બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો ગ્રહણ કરેલ છે. ઉક્કોસ જહને-યર ભંગા સાઈ અણાઈ ધુવ અધુવા | ચઉહા સગ અજહનો સેસતિગે આઉ ચઉસુ દુહા I૪૬ાા ભાવાર્થ – ઉત્કૃષ્ટ, જાન્ય, અનુત્કૃષ્ટ તથા અજઘન્ય સ્થિતિબંધ તથા સાદિ અનાદિ, ધ્રુવ તથા અધુવ એમ ચાર પ્રકાર હોય છે. મૂળ સાત કર્મોમાં અજઘન્ય બંધ ચાર પ્રકારનો હોય છે. બાકીનાં જઘન્ય. ઉત્કૃષ્ટ તથા અનુષ્ટ બંધ બબ્બે પ્રકારનાં હોય છે, આયુષ્ય કર્મનાં ચારેય બંધ સાદિ અને અધુવ એમ બે પ્રકારનાં હોય છે. ૪૬ ૩૩૯. ઉત્કૃષ્ટ બંધ કોને કહેવાય ? ઉત્તર જેનાથી બીજો કોઈ અધિક બંધ ન હોય તે ઉત્કૃષ્ટ બંધ કહેવાય છે. | ૩૪૦.અનુત્કૃષ્ટ બંધ કોને કહેવાય? ઉત્તર ઉત્કૃષ્ટ બંધથી એક સમય ચૂન બંધની શરૂઆતથી શરૂ કરી જ્યાં સુધી જઘન્ય બંધ થાય ત્યાં સુધીનો બંધ તે અનુત્કૃષ્ટ બંધ કહેવાય છે. ૩૪૧. જઘન્ય સ્થિતિબંધ કોને કહેવાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy