SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ઉત્તર ઉચ્ચ ગોત્ર-યશનામકર્મનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં રહેલા શપક શ્રેણીવાળા જીવો ચરમ સમયે કરે છે. ૩૩૦. જ્ઞાનાવરણીય-૫ આદિ ૧૪ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ક્યારે થાય ? ક્યા જીવો કરે ? ઉત્તર જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ આ ૧૪ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકમાં લપક શ્રેણીવાળા જીવો છેલ્લા સમયે કરે છે. ૩૩૧. ઉપર જણાવેલ ૧૭ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ ક્ષપક શ્રેણીવાળા જીવો કીધાં તો ઉપશમ શ્રેણીવાળા જીવો બંધ ન કરે? ઉત્તર શાતા વેદનીય આદિ ૧૭ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ લપકા શ્રેણીવાળા જીવો કહ્યા છે તે એટલા માટે કે તેના જેવી વિશુદ્ધિ ત્યાં | રહેલા બીજા જીવોને હોતી નથી. ઉપશમ શ્રેણીવાળા જીવોને વિશુદ્ધિ ઓછી હોવાથી તેઓ જઘન્ય બંધ ન કરતાં તેનાથી ડબલ બંધ કરે છે. ૩૩૨. ઉપશમ શ્રેણીથી પડતાં જીવો એ પ્રકૃતિઓનો સ્થિતિબંધ કેટલો કરે? શાથી ? ઉત્તર ઉપર જણાવેલ શાતા વેદનીય આદિ ૧૭ પ્રકૃતિઓનો ઉપશમ શ્રેણીથી પડતાં જીવો સપક શ્રેણીવાળા જીવો કરતાં ચાર ગુણો અધિક સ્થિતિબંધ કરે છે. કારણ કે તેઓ પતિત પરિણામી હોય છે તેના કારણે સંક્લેશ અવસ્થા વધારે હોય છે અને વિશુદ્ધિ ઓછી હોય છે. ૩૩૩.વૈક્રિયદ્ધિક આદિ છ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કયા જીવો કરે? શાથી? ઉત્તર વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, નરકગતિ, નરકાનુપૂર્વી, દેવગતિ, દેવાનુપૂર્વી આ છ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અસની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો કરે છે કારણકે તે સિવાયના એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય જીવો ભવ પ્રત્યયથી બંધ કરતાં નથી. ૩૩૪. ચારેય આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ ક્યા જીવો કરે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy