SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ વેદનીય-૧ :- શાતા વેદનીય મોહનીય-૪:- હાસ્ય રતિ, પુરુષવેદ, સ્ત્રીવેદ નામકર્મ-૧૯ :- પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૦, ત્રસ-૬, સ્થાવર-૦ = ૧૯ પિંડપ્રકૃતિ-૧૩ :- મનુષ્યગતિ, પહેલા પાંચ સંઘયણ, ૬ સંસ્થાન, | મનુષ્યાનુપૂર્વી વસ-:- સ્થિર ષક. આ ૨૫ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે બાંધે છે. ૩૨૦. જિનનામ કર્મનો જઘન્ય સ્થિતિબંધ ક્યારે થાય ? ઉત્તર જિનનામ કર્મનો જઘન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે બંધ વિચ્છેદ સમયે થાય છે. ૩૨૧. આહારક શરીર તથા આહારક અંગોપાંગનો જઘન્ય સ્થિતિ બંધ ક્યારે થાય ? ઉત્તર આહારક શરીર તથા આહારક અંગોપાંગનો જઘન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે બંધ વિચ્છેદ સમયે થાય છે. ૩૨ ૨. જિનનામ તથા આહારક દ્રિકનો જધન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકે શા માટે ? ઉત્તર આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ અતિ વિશુદ્ધિમાં જીવ હોય ત્યારે થાય છે અને આવી અતિ વિશુદ્ધિ આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થતી હોવાથી ત્યાં તેનો બંધ થાય છે. ૩૨૩. પુરુષવેદનો જધન્ય સ્થિતિબંધ કોણ કરે ? ક્યારે થાય ? ઉત્તર પુરુષવેદનો જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે બંધ વિચ્છેદ સમયે મનુષ્યોને થાય છે. ૩૨૪. સંજવલન ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? ક્યારે કરે ? ઉત્તર સંજવલન કોધનો જઘન્ય સ્થિતિબંધ મનુષ્યો કરે છે તે નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંત સમયે પ્રકૃતિના બંધ વિચ્છેદ વખતે થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy