SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ર્મગ્રંથ ૫મો ભાગ-૩ સ્થિતિબંધ દેવના અને નારકીનાં જીવો કરે છે. બાકીની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારેગતિનાં જીવો કરે છે. ८० આહારક શરીર આહારક અંગોપાંગનો તથા જિનનામર્મનો જાન્ય સ્થિતિબંધ આઠમા ગુણસ્થાનકવાળા જીવો કરે છે. સંજ્વલન ૪ ક્યાય તથા પુરુષવેદ આ પાંચ પ્રકૃતિઓનો જધન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાનકમાં રહેલાં જીવો બંધ વિચ્છેદ સમયે કરે છે. ૪૪॥ ૩૧૨, તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી શરીર ઔદારિક ઔદારિક અંગોપાંગ- ઉદ્યોત નામકર્મ તથા છેવ સંઘયણ આ છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો ક્યારે કરે ? - ઉત્તર તિર્યંયગતિ-તિર્યંચાનુપૂર્વી-ઓદારિક શરીર - ઔદારિક અંગોપાંગ - ઉદ્યોત નામકર્મ તથા છેવ સંધયણ આ છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સČ સંકલેશમાં વિધમાન ત્રીજા દેવલોક્થી માંડી આઠમા દેવલોક સુધીનાં દેવો તથા નારકીનાં જીવો કરે છે. ૩૧૩. શા માટે આ જીવો લીધાં ? બીજા જીવો શા માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન કરે ? ઉત્તર તિર્યંચ અને મનુષ્યો સર્વ સંકિલષ્ટમાં વિધમાન હોય ત્યારે નરતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોય છે. ઈશાન સુધીનાં દેવો સર્વ સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન હોય ત્યારે એકેન્દ્રિય પ્રોયોગ્ય પ્રકૃતિઓને બાંધતા હોય છે. તે કારણથી ઉપર જણાવેલ છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩થી ૮ દેવલોક સુધીના દેવતા તથા નારકીનાં જીવો કરે એમ જણાવેલ છે. ૩૧૪. બાકીની પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કરે ? ઉત્તર ઉપર જણાવેલી ૨૮ પ્રકૃતિઓ સિવાય બાકીની ૯૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિનાં મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૯, વેદનીય- ૨ મોહનીય ૨૬, આયુષ્ય ૦, નામ ૪૩, ગોત્ર-૨, અંતરાય - ૫ = ૯૨. નામ ૪૩, પિંડપ્રકૃતિ ૨૨, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૬ = ૪૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy