SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૭૯ ૩૦૮. શા માટે તપ્રાયોગ્ય અધ્યવસાય કહ્યા ? ઉત્તર મનુષ્યો તથા તિર્યો અતિસંક્લિષ્ટ અધ્યવસાયમાં હોય ત્યારે નરકગતિ પ્રાયોગ્ય બંધ કરે છે. અતિ વિશુદ્ધ અધ્યવસાયમાં હોય તો ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો અભાવ હોય છે તે કારણથી તપ્રાયોગ્ય અધ્યવસાય કહેવાય છે. ૩૦૯. નરકગતિ-નરકાસુપૂર્વી-વૈક્રિય શરીર - વૈક્રિય અંગોપાંગ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયા જીવો કયારે કરે ? ઉત્તર નરગતિ નરકાનુપૂર્વી - વૈક્રિય શરીર - વૈક્રિય અંગોપાંગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સર્વ સંક્લિષ્ટ અધ્યવસાયમાં વિદ્યમાન મિથ્યાદ્રષ્ટિ મનુષ્યો તથા તિર્યંચો કરે છે. ૩૧૦.એકેન્દ્રિય-સ્થાવર-આપ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ક્યા જીવો કયારે કરે ? ઉત્તર એકેન્દ્રિય-સ્થાવર-આતપ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ભવનપતિ વ્યંતર-જ્યોતિષી અને વૈમાનિકના પહેલાં બીજા દેવલોકવાળા દેવો સર્વ સંકલેશમાં વિદ્યમાન હોય ત્યારે કરે છે. ૩૧૧. શા માટે ઈશાન સુધીનાં દેવો કહ્યા ? નારકી મનુષ્યો તિર્યંચો શા માટે નહિ? ઉત્તર ઉપર જણાવેલ એકેન્દ્રિયાદિ ત્રણ પ્રકૃતિઓ નારકનાં જીવો ભવ પ્રત્યયથી બાંધતા નથી. મનુષ્યો તથા તિર્યંચો સર્વ સંમ્પિષ્ટ અધ્યવસાયમાં હોય તો નરકગતિ પ્રાયોગ્ય બંધ કરતાં હોવાથી ઈશાન સુધીનાં દેવો કરે એમ જણાવેલ છે. આગળના દેવતાઓને પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ હોતો નથી. તિરિ ઉરલ દુગુજજોએ છિવઠ નિરય સેસ ચઉગઈયા ! આહાર જિણમપુત્રો ડનિયટ્ટિ સંજલણ પુરિસ લહું ૪૪ ભાવાર્થ – તિર્યંચગતિ- તિર્યંચાનુપૂર્વી - દારિક શરીર - ઔદારિક અંગોપાંગ-ઉદ્યોત નામકર્મ તથા છેવટહુ સંઘયણ આ છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy