SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૩ | ઉત્તર બાર મુહૂર્તનો હોય છે. તે દશમા ગુણ-સ્થાનકના છેલ્લા સમયે બંધાય ક્યા , ૫૮. સંજ્વલન ક્રોધનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? તે ક્યારે બંધાય ? ઉત્તર બે માસનો હોય છે તે નવમાં ગુણ-સ્થાનકના બીજા ભાગના અંત સમયે બંધ વિચ્છેદ વખતે થાય છે. ૫૯. સંજવલમાનનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? કયારે બંધાય ? ઉત્તર એક માસનો હોય છે. તે નવમા ગુણ સ્થાનકના ત્રીજા ભાગના અંતે બંધ સમયના વિચ્છેદ વખતે થાય છે. ૬૦. સંજવલન માયાનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? | ક્યારે બંધાય ? ઉત્તર ૧૫ દિવસનો હોય છે. તે નવમા ગુણ-સ્થાનકના ચોથા ભાગના અંતે ! : બંધાય છે. ૬૧. પુવેદનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ક્યારે બંધાય ? ઉત્તર પુરૂષવેદનો જઘન્ય સ્થિતિબંધ આઠ વર્ષનો હોય છે. તે નવમા ! ગુણ-સ્થાનકના પહેલા ભાગનાં અંતે બંધાય છે. ૬૨. બાકીની પ્રવૃતિઓનો જધન્ય સ્થિતિબંધ કોટલો હોય ? | કઈ રીતે ? ઉત્તર બાકીની પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ તે પ્રકૃતિઓનો જે ઉત્કૃષ્ટ | સ્થિતિબંધ કહેલો છે તેને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતાં જે આવે તે જઘન્ય સ્થિતિબંધ ગણાય છે. | દરેક પ્રકૃતિઓને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ - જઘન્ય સ્થિતિ તથા ઉત્કૃષ્ટ-જઘન્ય અબાધાકાળ વર્ણન: ૬૩. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ તથા અબાધાકાળ કેટલો હોય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy