SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ . . | ઉત્તર આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનો કરતાં બીજા સમયનાં સ્થિતિસ્થાનો અસંખ્યાત ગુણા અધિક હોય છે. ૬૫૯. આયુષ્ય કર્મનાં સ્થિતિ સ્થાનો અસંખ્યાતગુણા ક્યાં સુધી જાણવાં ? ઉત્તર આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિ સ્થાનનાં અધ્યવસાય તથા બીજા સમયનાં સ્થિતિ સ્થાનો જે કહ્યા છે તેનાથી પ્રત્યેક એક એક સમયનાં સ્થિતિ સ્થાનો અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ અધિક આયુષ્ય કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાનકો સુધી જાણવા. ૬૬૦. અધ્યવસાય સ્થાનક કોને કહેવાય? ઉત્તર કષાયના ઉદયનાં ભેદ આશ્રયી આત્માનો જે અશુદ્ધ સ્વભાવ વિશેષ તે અધ્યવસાય સ્થાનક કહેવાય છે. ૬૬૧. સૌથી ઓછા સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનક ક્યા કર્મના હોય ? ઉત્તર સૌથી ઓછા સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનક આયુષ્ય કર્મનાં હોય છે. ૬૬૨. આયુષ્ય કર્મ કરતાં ક્યા કર્મનાં કેટલાં ઓછા યા વધારે " સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનક હોય ? ઉત્તર આયુષ્ય કર્મ કરતાં નામકર્મ તેમજ ગોત્રકર્મના સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનક અસંખ્યાતગુણા અધિક જાણવા.. ૬૬૩. નામ તેમજ ગોત્રકર્મ કરતાં કયા કર્મનાં કેટલાં વધારે યા ઓછા સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો હોય? | ઉત્તર નામ તેમજ ગોત્રકર્મ કરતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એમ ચાર કર્મોનાં સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતગુણા અધિક હોય છે. ૬૬૪. જ્ઞાનાવરાણીયાદિ કરતાં ક્યાં કર્મોનાં સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો કેટલાં ઓછા યા વધારે હોય? ઉત્તર જ્ઞાનાવરણીયાદિ કર્મો કરતાં ચારિત્ર મોહનીય કર્મનો સ્થિતિબંધ અધ્યવસાય સ્થાનકો અસંખ્યાતગુણા અધિક હોય છે. તે = ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy