SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ કર્મગ્રંથ પમો ભાગ-૩, -- - ઉત્તર જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાય કરતાં સમયાધક સ્થિતિસ્થાનક વિશેષાધિક અધ્યવસાય સ્થાનોથી બંધાય છે. ૬૫૩, સાતે કર્મની જધન્ય સ્થિતિ સમયાધિક કરતાં બે સમયાધિક આદિ સ્થિતિસ્થાનકો કેટલાં કેટલાં અધ્યવસાયથી બંધાય? | ઉત્તર સાતે કર્મની જધન્ય સ્થિતિ સમયાધિક સ્થિતિ કરતાં બે સમયાધિક સ્થિતિ સ્થાનકો વિશેષાધિક અધ્યવસાયોથી બંધાય. ત્રણ સમયાધિક સ્થિતિસ્થાનકો વિશેષાધિક અધ્યવસાયોથી બંધાય તે પ્રમાણે દરેક * સમયમાં જાણવું. ૬૫૪. કેટલાં સ્થિતિ સ્થાનકો અતિક્રમે બમણાં થાય ? ઉત્તર સમયે સમયે વિશેષાધિક વિશેષાધિક કરતાં કરતાં પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિસ્થાનક સુધી જઈએ એટલે જઘન્ય સ્થિતિસ્થાનકનાં અધ્યવસાય કરતાં બમણાં અધ્યવસાય સ્થાનકો પ્રામ, થાય છે. ૬૫૫.એક પલ્યોપમ જેટલા કાળને વિષે સ્થિતિસ્થાનકો કેટલાં પ્રાપ્ત થાય ? ઉત્તર એક પલ્યોપમ જેટલા કાળને વિષે અસંખ્યાતા દ્વિગુણ વૃદ્ધિના ( સ્થિતિસ્થાનકો પ્રાપ્ત થાય છે. ૬૫૬ સાતે કર્મનાં સ્થિતિસ્થાનકો ક્યાંથી ક્યાં સુધી વિશેષાધિક જાણવા ? ઉત્તર સાતે કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનકના જે અધ્યવસાય સ્થાનકો છે તેનાથી સમયાધિથી વિશેષાધિક વિશેષાધિક કરતાં યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધી વિશેષાધિક અધ્યવસાય સ્થાનો હોય છે. ' ૬૫૭. આયુષ્ય કર્મનાં જધન્ય સ્થિતિસ્થાનકો કેટલાં હોય? ઉત્તર આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનકો સૌથી ઓછા હોય છે. ૬૫૮. આયુષ્ય કર્મનાં જઘન્ય સ્થિતિસ્થાનો કરતાં બીજા સમયનાં સ્થિતિ સ્થાનો કેટલાં હોય ? ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy