SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૧૫૧ ૫૮૫. સની પર્યાપ્ત જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર સની પર્યાપ્તા જીવોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે કર્મોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે તે પ્રમાણે બંધ જાણવો. ૫૮૬. બંધાતી પ્રવૃતિઓમાંથી કેટલી પ્રકૃતિઓનો સ્થિતિબંધ | અશુભ ગણાય છે? શા માટે ? ઉત્તર બંધાતી એકસોવીસ પ્રકૃતિઓમાંથી મનુષ્યયુગ-દેવાયુષ્ય તથા તિર્યંચાયુષ્ય આ ત્રણ પ્રકૃતિઓ સિવાયની ૧૧૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અશુભ ગણાય છે કારણકે આ દરેક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તીવ્ર સંક્લેશ (ક્ષય) અથવા તપ્રાયોગ્ય કષાયથી બંધાય | છે તે ધરણથી અશુભ ગણાય છે. ૫૮૭. બંધાતી દરેક પ્રકૃતિઓની શુભ સ્થિતિ શેનાથી બંધાય છે ? ઉત્તર બંધાતી દરેક પ્રવૃતિઓની શુભ સ્થિતિ વિશુદ્ધિથી બંધાય છે. ૫૮૮.મનુષ્પાયુષ્યઆદિ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ શેનાથી થાય ? શા કારણથી ? ઉત્તર મનુષ્પાયુષ્ય આદિ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશુદ્ધિથી બંધાય છે. શુભ (પુણ્ય) પ્રકૃતિઓ હોય છે તે કારણથી આથી તપ્રાયોગ્ય વિશુદ્ધિ લેવાય છે. ૫૮૯. મનુષ્પાયુષ્ય આદિ ત્રણ આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ શેનાથી થાય ? | ઉત્તર મનુષ્કાયુષ આદિ ત્રણ આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ મલીન અધ્યવસાયથી થાય છે (તપ્રાયોગ્ય સંક્લેશ અધ્યવસાયથી થાય છે). પ૯૦. પ્રકૃતિનાં બંધનું વિષમતાપણું શેનાથી થાય છે ? તે કારણથી શેનું નિરૂપણ થશે? ઉત્તર પ્રવૃતિઓનાં બંધનું વિષમતાપણું યોગની વિષમતા એટલે ફેરફારીથી થાય છે. એ કારણથી જ્ઞાની ભગવંતોએ યોગના અલ્પબદુત્વનું નિરૂપણ / જણાવેલ છે. - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy