SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ ઉત્તર અંત: કોડાકોડી સાગરોપમનો જઘન્ય સ્થિતિબંધ આઠમા અપુર્વકરણ ગુણસ્થાનકે હોય છે. કારણકે ત્યારબાદ ગુણસ્થાનને વિષે ઉપરામશ્રેણીવાળા જીવો પ્રકૃતિઓનો ઉપશમ કરે. તથા ક્ષપક શ્રેણીવાળા જીવો પ્રકૃતિઓનો ક્ષય કરે છે. તેમાં વિશુદ્ધિ જોરદાર રહેતી હોવાથી કર્મબંધ અલ્પ થાય છે. ૧૪૨ ૫૨૯. અપ્રમત્ત ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર : અપ્રમત્ત ગુણસ્થાનકે અપુર્વકરણ ગુણસ્થાનકની અપેક્ષાએ સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૦. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ઃ અપ્રમત્ત ગુણસ્થાનક કરતાં પ્રમત્ત ગુણસ્થાનકે અંત: કોડાકોડી સાગરોપમરૂપ સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૧. દેશવિરતિ ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર દેશવિરતિ ગુણસ્થાનકે પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકની અપેક્ષાએ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૨. અવિરતિ સમ્યક્દ્રષ્ટિ ગુણસ્થાનકમાં સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર દેશવિરતિ ગુણસ્થાનક કરતાં અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનકમાં સંખ્યાતગુણો અધિક સ્થિતિબંધ હોય છે. ૫૩૩. મિશ્ર ગુણસ્થાનકને વિષે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક કરતાં મિશ્ર ગુણસ્થાનકને વિષે સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૪. સાસ્વાદન ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર મિશ્ર ગુણસ્થાનક કરતાં સાસ્વાદન ગુણસ્થાનકે સ્થિતિબંધ સંખ્યાતગુણો અધિક હોય છે. ૫૩૫. પહેલા ગુણસ્થાનકે સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તરસાસ્વાદન ગુણસ્થાનક કરતાં પહેલા ગુણસ્થાનકે વિદ્યમાન સન્ની ભવ્ય જીવોનો અંત: કોડાકોડી સાગરોપમનો બંધ સંખ્યાતગુણો અધિક હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy