SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-પ પહેલા બે ગુણસ્થાનકને વિષે અનંતાનુબંધિ-૪ કષાયની સત્તા નિયમો હોય છે. બાકીનાં નવ ગુણસ્થાનકને વિષે ભજનાએ સત્તામાં હોય છે. ૧૧ પ્રશ્ન ૩૪૮, મિશ્ર મેહનીયની સત્તા નિયમ કેટલા ગુણસ્થાનકમાં હોય? ક્યા કયા? ઉત્તર : બીજા અને ત્રીજા એમ બે ગુણસ્થાનકમાં સત્તા નિયમો હોય છે. પ્રશ્ન ૩૪૯. બે ગુણસ્થાનકમાં સત્તા નિયમા ક્યા પ્રકારની હોય? ઉત્તર : બીજા ગુણસ્થાનકે ૨૮ ની સત્તા નિયમો હોય છે માટે હોય છે. ત્રીજું ગુણસ્થાનક મિશ્ર મેહનીયના ઉદય વગર હેતું નથી. તેથી સત્તા નિયમો હોય છે. પ્રશ્ન ૩૫૦. બાકીનાં કેટલાં ગુણસ્થાનકોમાં સત્તા ક્યા પ્રકારે હોય ? ઉત્તર : પહેલા તથા ચારથી અગ્યાર એમ નવ ગુણસ્થાનકેને વિષે સત્તા વિકલ્પથી (ભજનાઓ) હોય છે. પ્રશ્ન ૩૫૧, પહેલા ગુણસ્થાનકે વિકલ્પથી કઈ રીતે જાણવી? ઉત્તર : અનાદિ મિથ્યાષ્ટિ જેને તથા જે સમ્યકત્વ પામી વમી પહેલા ગુણસ્થાનકે આવી સમ્યક્ત્વ મોહનીય તથા મિશ્ર મેહનીયની ઉદૂવલના કરેલ હોય તેઓને ન હોય તે સિવાયના જીવને સત્તામાં હોય છે તે કારણથી વિક૯૫થી સત્તા ગણાય છે. પ્રશ્ન ૩૫૨. ચારથી અગ્યાર ગુણસ્થાનકમાં રહેલા જીને મિશ્ર મેહનીયની સત્તા ભજનાએ કઈ રીતે જાણવી? ઉત્તર : ક્ષાયિક સમકિતી જીને સત્તામાં રહેતી નથી તથા ક્ષાયિક સમકિત પામનાર જેને (અનંતા-૪, મિથ્યા, મિશ્ર મેહનીય) છે પ્રકૃતિને ક્ષય કરનાર ક્ષપશમ સમકિતીને હેતી નથી. ઉપશમ સમકિતી તથા ક્ષયપશમ સમકિતી (ઉપર જણાવવા સિવાય)ને સત્તામાં હોય છે. માટે ભજના ગણાય છે. પ્રશ્ન ૩૫૩. અનંતાનુબંધિ ૪ કષાયની સત્તા અવશ્ય બે ગુણ સ્થાનકમાં શા કારણથી હોય? ઉત્તર : બીજા ગુણસ્થાનકે ૨૮ પ્રકૃતિઓની સત્તા નિયમા હાય Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy