SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ કર્મગ્રંથ અત્યારે શલાકા-પ્રતિશલાકા-મહાશલાકામાં-એ ત્રણેમાં એક એક દાણે છે. અને છેલ્લા આવેલા દ્વીપસમુદ્ર જેવડે અનવસ્થિત સંપૂર્ણ ભરેલ છે. હવે અનવસ્થિતને ખાલી કરવાના કેમે શલાકા ભરે અને શલાકાને ખાલી કરીને બીજે સાક્ષી દાણે પ્રતિશલાકામાં નાંખવે. એમ અનવસ્થિત વડે શલાકા અને શલાકા વડે પ્રતિશલાકા પૂરે ભરે. બીજી વાર પ્રતિશલાકા પૂર્ણ ભરાયા પછી એ જ રીતે ખાલી કરી બીજો દાણે મહાશલાકામાં નાંખવે. પ્રતિશલાકાને બીજે દાણે મહાશલાકામાં નાખ્યા પછી શલાકાને ભરવાના ક્રમ પ્રમાણે અતિશડાકા ભરો. એકવાર પ્રતિશલાકા ભરતાં અનેકવાર શલાકા ભરવાને છે અને એકવાર શલાકા ભરતાં અનેકવાર અનવસ્થિત ભરવાનો છે. આ રીતે દરેક પ્રસંગમાં કમ સાચવવાને છે. આ કમે પ્રતિશલાકાના સાક્ષી દાણાથી મહાશલાકા શિખા સુધી સંપૂર્ણ ભરાઈ જાય પછી પ્રતિશલાકા પૂરો ભરે. તેના પછી શલાકા પૂર ભરે. એ ભરતાં જે છેલ્લે અનવસ્થિત આવે એવડે અનવસ્થિત ભરે. આમ ચારે ચ પ્યાલા સંપૂર્ણ ભરાયેલા થયા છે તેમાં શલાકાપ્રતિશલાકા અને મહાશલાકા એ ત્રણ ત્રણ લાખ જનની લંબાઈ પહોળાઈના છે. અને અનવસ્થિત ઘણો મોટો છે. તે સંખ્યાના જનની લંબાઈ-પહેલાઈવાળો છે. આ પ્રમાણે ચારે પ્યાલામાં ભરેલા જે સરસવ છે, તેને એક મોટા દ્વીપમાં ઢગલે કરવો અને પહેલાથી અત્યાર સુધી મૂકેલા બધા દાણા એ ઢગલામાં નાંખવા એટલે ૫ લા ત્રણ દ ણાથી માપેલા દ્વીપસમુદ્રોને સરવાળે અને મૂકાયેલા દાણાઓને સરવાળે કરતાં જે સંખ્યા આવે તેમાંથી એક દાણો ઓછો કરે. એની જે સંખ્યા થાય તે ઉત્કૃષ્ટ સંખ્યાતુ કહેવાય છે. આ રીતે ઉત્કૃષ્ટ સંખ્યાતાને વિચાર કર્યો. હવે નવ સંખ્યાતાનો "વિચાર કરાય છે. વજુએ તુ પરિત્તા સંખે લહુ અસારસ-અબભાસે છે જુત્તા સંબિજ લહુ આવલિયા સમય પરિમાણું ૮૧ ભાવાથી ; ઉત્કૃષ્ટ સંખ્યાતામાં એક ઉમેરીએ એટલે જઘન્ય Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy