SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મારામાં એ કઈ પશમ નહતું કે, શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાનું મારા માટે સ્વપનેય શક્ય બને. પરંતુ પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિના બળે ધીમે ધીમે અભ્યાસ આગળ વધતે ગયે. અને પ્રકરણ-કર્મગ્રંથ મારે માટે અધ્યયનના પ્રિય વિષય બન્યા. પૂ. ગુરુદેવેની નિશ્રા અને કૃપાને વિચાર કરતા આજે તે મને ચક્કસ એમ લાગે છે કે, ખરેખર ગુરુકપા પાંગળા પાસે પહાડને ઓળંગવે છે, એ વાત સાવ સાચી છે. નહિ તે હું ભળી સંયમધર્મ ક્યાંથી પામી શક્ત અને સંયમી બન્યા બાદ પણ આજે જે કક્ષાએ પહોંચ્યું છું, ત્યાં કઈ રીતે પહોંચી શક્ત! આ બધે પ્રભાવ ગુરુકૃપાને જ છે. - પ્રકરણ અને કર્મગ્રંથના અધ્યયન-અધ્યાપન વખતે અનેકવાર એ વિચાર આવતે કે, આ પદાર્થોને પ્રશ્નોત્તરીના રૂપમાં તૈયાર કરીને ગ્રંથસ્થ કરવામાં આવે તે જરૂર ઉપકાર થાય? પણ આ વિચારને અમલમાં મૂકવા માટે મને મારી જાત ઘણી જ અલ્પ અને અશક્ત જણાતી હતી. પરંતુ એકવાર “શુભે યથાશક્તિ યતનીય” આ ન્યાયે પ્રશ્નોત્તરી લખવાનો પ્રારંભ કર્યો, અને ગુરુકૃપાને જ આ ચમત્કાર છે કે, આજે કર્મગ્રંથ અને બીજો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. આ પ્રશ્નોત્તરીના સંકલન-સંપાદન અંગે મારે ઘણા ઘણાની ઉપકાર સ્મૃતિ કરવાની છે. સૌ પ્રથમ મારા પરોપકારી છે, પરમશાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજ્યરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ. આ સંપાદનસંકલનના પાયાથી માંડીને ટોચ સુધી આ મહાપુરુષની કૃપા જ વિલસી રહી છે. પદાર્થના શબનમાં પૂ. આગમદિવાકર આચાર્યદેવશ્રીમવિજ્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજ તથા મુનિરાજશ્રી ચંદ્રભૂષણ વિજ્યજી આદિ તરફથી જે સાથસહકાર મળે છે, તે અવિસ્મરણીય રહે એવે છે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy