SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકાર પરમગુરુદેવ, પરમારા ધ્યપાદ, ભાવદયાના મહાસાગર, પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વર્તમાનયુગની એક મહાવિભૂતિ છે. પિતાના દીર્ઘ સંયમ-જીવન દરમિયાન તેઓશ્રીએ ઉપકારની જે ગંગા વહાવી છે અને ૯૨ વર્ષની વયે પણ આજે ઉપકારની જે ગંગા વહાવી રહ્યા છે, એની જોડ જડવી મુશ્કેલ છે. એ ગંગાનો અનેકાનેક ભાવિકે લાભ લઈ શક્યા છે અને આજેય લઈ રહ્યા છે. હું એમને જ એક છે. લગભગ વિ.સ. ૨૦૧૮ની કઈ અજબ-ગજબની ઘડીએ આ મહાપુરૂષની કૃપાદૃષ્ટિનું કિરણ મારી પર પડયું, ત્યારે તે મને કલ્પનાય ન હતી કે, આ કિરણ નજીકના જ ભવિષ્યમાં સૂર્ય જેવા પ્રકાશમાં પલટાઈને મારા અંતરને અજવાળી જશે! આ પછી અવારનવાર પૂજ્યશ્રીના પરિચયમાં આવવાનું થતા અને આત્મજાગૃતિ આણતા પ્રવચનનું શ્રવણ ચાલુ રહેતા, હૈયામાં એવી ભાવના જાગી કે માનવજીવનમાં ચારિત્ર ન પમાય તે માનવનો આ ભવ એળે ગયે ગણાય. એથી ઘરમાં વડીલે સમક્ષ ને પૂજ્યશ્રીની સમક્ષ મેં મારી અને ભાવના વ્યક્ત કરી. અને વડીલેની અનુજ્ઞા પૂર્વક સંયમ-ધર્મની તાલીમ મેળવવા પૂજ્યશ્રીની નિશ્રામાં રહેવાનું નકકી થયું. પૂજ્યશ્રીની નિશ્રામાં, પૂ. ઉપાધ્યાયજી શ્રી ચારિત્રવિજયજી મહારાજના માર્ગદર્શાનુસાર મારું સંયમ-ઘડતર આરંભાયું. સંયમ–જીવનના સ્વીકારને અવધનારા ઘણું ઘણું ત વચ્ચે ખડકાયા હતા. છતાં પૂજ્યશ્રીની કૃપાથી મારે માર્ગ અવધ વિનાને બનતે ચાલ્યો અને અંતે વિ.સ. ૨૦૨૨માં પૂજ્યશ્રીના શિષ્ય તરીકે મને સંયમ–જીવનમાં પ્રવેશ મળે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy