SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ચતુર્થ કર્મગ્રંથ ઉત્તર : ઘનીકૃત લેકની એક સૂચિ શ્રેણમાં અસંખ્યાતી ઉત્સર્પિણ અવસર્પિણી એટલે કાળ જાય છે તેમ સઘળી સૂચિ શ્રેણીનાં આકાશ પ્રદેશમાં પણ અસંખ્યાતી ઉત્સપિણી અવસર્પિણી એટલે કાળ જાય છે. પ્રશ્ન ૪૭૬, આ શી રીતે ઘટી શકે છે, ઉત્તર : સૂત્રમાં કહ્યું છે કે સૂકમ કાળ કરતાં પણ ક્ષેત્ર સૂક્ષ્મ હિય છે. સુહમે ય હાઈ કાલો તત્તો સુહમયર્થ હવઈ ખિત્ત અંગુલ સેઢી મિરને એસસ્પિણુઓ અખિજજ ત્તિ ૧ .. પ્રશ્ન ૪૭૭, નારકીનાં (નરકગતિનાં) છે કેટલાં છે? ઉત્તર : મનુષ્યગતિનાં છ કરતાં નરકગતિનાં છે અસંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન ૪૭૮. નારકીનાં કાલ થકી તથા ક્ષેત્ર થકી કેટલાં હોય છે? ઉત્તર : નારકીનાં કાલ થકી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીનાં સમયે જેટલાં છે. ક્ષેત્ર થકી પ્રતરનાં અસંખ્યાતમાં, ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણીનાં જેટલા આકાશ પ્રદેશ તેટલા છે. તે આ રીતે જાણવા. અંગુલ પ્રમાણ પ્રતર ક્ષેત્રને વિષે જેટલી આકાશપ્રદેશની શ્રેણી હોય તેના વર્ગમૂલ અસંખ્યાતા છે. ત્યાં પ્રથમ વર્ગ મૂલને બીજા વર્ગમૂલ સાથે ગુણતાં જે આવે એટલી અસંખ્યાતી શ્રેણી જાણવી. તેમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા નારકીઓ જાણવા. અસકલ્પનાએ અંગુલપ્રમાણ પ્રતરને વિષે ૨૫૬ શ્રેણું છે તેનું પ્રથમ વર્ગમૂલ ૧૬ અને બીજું વર્ગમૂલ ૪ એ બન્નેને ગુણાકાર કરતાં ૧૬ ૪ ૪ = ૬ થાય તે રીતની અસંખ્યાતી જાણવી. પ્રશ્ન ૪૭૯નારકી કરતાં દેવતાની સંખ્યા કેટલી છે? ઉત્તર : નારકીનાં છ કરતાં દેવગતિમાં રહેલા દેવતાની સંખ્યા અસંખ્યાતા ગુણ અધિક હોય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy