SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આ સિવાય પણ આ પાંચ કર્મગ્રંથ કે તે પૈકીના એક બે કર્મો ગ્રંથ ઉપર અનેક વિદ્વાનેએ વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યની રચના કરી છે. તેમાં પ્રસ્તુત રચના એક નવા જ પ્રકારની શૈલીથી કરવામાં આવી છે. બાલવા પણ કર્માં સિદ્ધાંતના પદાર્થોને સહેલાઇથી આત્મસાત્ કરી શકે તે માટે કસાહિત્યમાં ઉંડો રસ ધરાવતા તપસ્વી મુનિરાજશી નરવાહન વિજયજી મહારાજે પ્રશ્નાત્તરરૂપે ક ગ્રંથાના પદાર્થોનુ નિરૂપણ કર્યું છે, તે પૈકી આ પુસ્તકમાં ચોથા કર્મ ગ્રંથના પદાર્થોનું પ્રશ્નત્તરરૂપે નિરૂપણ કર્યું છે. તેઓશ્રીએ પૂજ્યપાદ, પરમ શાસન પ્રભાવક, જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, શ્વેતાંબરાગ્રણી, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ ગચ્છાધિપતિ આચાર્ય દેવ ધીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખે યારથી કર્મગ્રથના અભ્યાસ કર્યો ત્યારથી તેઓશ્રી તન મનથી એની પાછળ પાતાના પૂરો ભેગ આપી રહ્યા છે અનેક ગ્રંથના પદાર્થોને આત્મસાત બનાવ્યા છે. છઠ્ઠા કર્મગ્રંથના ભાંગા વગેરે પણ તેમને મેઢે જ ઉપસ્થિત છે. દિવસે કે રાત્રે જયારે કોઈને પણ કર્મના સિદ્ધાંતેનુ જ્ઞાન મેળવવું હોય ત્યારે ઉત્સાહ અને ખંતથી જિજ્ઞાસુને તેઓ અધ્યયન કરાવે છે, અને તે માટે તેમને પુસ્તકનો સહારો પણ ન લેવા પડે તે રીતે આ પદાર્થોને તેમણે આત્મસાત બનાવ્યા છે. આ માટે તેમણે આગમિકગ્રંથા, દૌગંબર કર્મ સાહિત્યના ગ્રંથા, પ્રાચીન, અર્વાચીન ગ્રંથોને પણ પ્રયત્ન પૂર્વક અભ્યાસ કર્યો છે. તેઓશ્રીના હાથે લખાયેલ આ પ્રશ્નેત્તરરૂપ ગ્રંથ અભ્યાસુ આત્માઓને જરૂર સહાયક બનશે તેવી મને આશા છે. !! અંતે અભ્યાસીજને આ પ્રશ્નોત્તર ગ્રંથનું અવલંબને લઈક ના સિદ્ધાંતને આત્મસાન બનાવી એવી ભૂમિકાએ પહોંચે કે યાવત આગમમાં નિરૂપેલ કર્મ સિદ્ધાંતાનુ સૂક્ષ્માતિસૂક્ષ્મ અધ્યયન કરવાના પરમ સૌભાગ્યના સ્વામી બનશે અને તે જ્ઞાનપણ માત્ર શબ્દાત્મક ન રહેતાં એવું પરિણામ કક્ષાનુ બને કે કના મને ભેદવા કિતમાન બની અનાદિની કર્મ શ્રુંખલાને તેાડી શાશ્વત નિજાનંદ સ્વરૂપ પરમપદના ભાકતા બને એજ એકની એક સદા માટેની શુભ ભિલાષા ! વિ. ૨૦૪૧ આસેાસુદ ૧૦ વિજય દાનસૂરિ જ્ઞાનમંદિર અમદાવાદ Jain Educationa International વર્ધમાન તપની ૧૦૦મી ઓળીના આધારક પરમ તપસ્વી પૂજય મુનિરાજશ્રી ગુણશય વિજયન્દ મહારાજને વિનેય મુનિ કિર્તીયશવિજય For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005272
Book TitleKarmgranth 04 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year1986
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy