________________
૮૧
પ્રશ્નોત્તરી પ્ર. ૨૯૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓ નવી દાખલ થાય છે? કઈ કઈ?
ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં નવી ત્રણ પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ર૯૭. ચોથા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણઠાણે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭
પ્ર. ૨૯૮. ચોથા ગુણસ્થાનકના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ?
ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે બંધમાંથી ૧૦ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય -૪ કષાય આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય
નામ-પ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ અને મનુષ્યાનુપૂર્વી
પ્ર. ૨૯૯. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org