________________
૬૫
પ્રશ્નોત્તરી પ્ર. ૨૩૨. કાર્પણ કાયયોગમાં બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉઃ કાર્પણ કાયયોગમાં બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૩૪ થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ =૧૫
પિંડુપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪, સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૨૩૩. ચોથા ગુણસ્થાનકે નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે નવી પાંચ પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪: દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ
પ્ર. ૨૩૪. કાર્પણ કાયયોગવાળા જીવોને ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ?
ઉઃ કાશ્મણ કાયયોગવાળા જીવોને ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૭ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૭૫ નામ-૩૭ પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, સસ-૧૦, સ્થાવર-૩ = ૩૭
પિંડપ્રકૃતિ-૧૮ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ , પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૬ : આતપ, ઉદ્યોત, સિવાયની છ પ્રકૃતિ સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ
0
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org