________________
કર્મગ્રંથ-૩ અ. ૧૯૫. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોટા
- ૧ અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૩૧
પ્ર. ૧૯૬. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉઃ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૨ પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા,
પ્ર. ૧૯૭. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ : આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં પ૬ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧
અંતરાય નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૧૦ = ૩૧
પ્ર. ૧૯૮. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૯ = ૩૦
પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિર્માણ, અને ઉપઘાત ત્રણ-૯ : બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર અને આદય
ગોત્ર
= ૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org