________________
૧૩૭
પ્રશ્નોત્તરી પ્ર. પ૩૦. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૩ : થીધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી અને અશુભ વિહાયોગતિ પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. પ૩૧. ચોથા ગુણસ્થાનકે નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે નવી પાંચ પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-પ : પિંડપ્રકૃતિ-૪ : દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ
પ્ર. ૫૩૨. ચોથા ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ?
ઉ : ચોથા ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૭ ગોત્ર
- ૧ અંતરાય - પ = ૭૫ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રાસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. પ૩૩. ૧૩-૧૪ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉ: ૧૩મા સયોગી કેવલી ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય ૧૩માના અંતે ૧નો અંત થતો હોવાથી ચૌદમા ગુણસ્થાનકે અબંધક થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org