SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. સૂક્ષ્મ નિગોદનાં જીવો જે હજી સુધી વ્યવહાર રાશિમાં આવેલા નથી. તે જીવોનો જે રાશિ તે અવ્યવહાર રાશિ કહેવાય છે. અર્થાત્ અનાદિ કાળથી જીવોને રહેવાનું જે સ્થાન તે અવ્યવહાર રાશિ કહેવાય. પ્ર. ૧૩. વ્યવહાર રાશિ કોને કહેવાય ? ઉ. : જ્યારે કોઈપણ એક જીવ સંસારમાંથી સકલ કર્મોથી રહિત થઈ સિદ્ધિ ગતિમાં જાય છે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિરૂપ નિગોદમાંથી બહાર નીકળી સૂક્ષ્મ યા બાદર એકેન્દ્રિય રૂપ ઉત્પન થાય છે. અને આગળ વધીને બેઈન્દ્રિયથી યાવતુ પંચેન્દ્રિય સુધી ઉત્પન્ન થાય છે. આ જીવોનો જે રાશિ તે વ્યવહાર રાશિ કહેવાય છે. તે જીવોને વ્યવહાર રાશિવાળા જીવો કહેવાય છે. પ્ર. ૧૪. વ્યવહાર રાશિવાળા જીવો સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય તે જીવોને કયા નામથી ઓળખાય છે ? ઉ. : વ્યવહાર રાશિવાળા જીવો જ્યારે સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્તા કે પર્યાપ્તા પણામાં ઉત્પન્ન થાય છે ત્યારે પણ તે વ્યવહાર રાશિવાળા જ જીવો કહેવાય છે તે જીવો ત્યાંથી બહાર નીકળવા માટે એક સિદ્ધિ ગતિમાં જાય ત્યારે બહાર નીકળે એવો નિયમ હોતો નથી. પ્ર. ૧૫. સામાન્ય રીતે જીવોના કેટલા ભેદો પડે છે ? કયા કયા ? ઉ. : છે. (૧) અભવ્ય જીવો (૨) જાતિભવ્ય જીવો (૩) દુર્ભવ્ય જીવો (૪) ભારેકર્મી ભવ્ય જીવો (૫) લઘુકર્મી ભવ્ય જીવો તથા (૬) દુર્લભ બોધી ભવ્ય જીવો. પ્ર. ૧૬. અભવ્ય જીવો કોને કહેવાય ? ઉ. : જે જીવોમાં મોક્ષગમનની યોગ્યતા જ નથી તે જીવોને અભવ્ય જીવો કહેવાય એથી આવા જીવોનાં આત્મ પ્રદેશોને વિષે તિરોહિત ભાવે કેવલજ્ઞાન રહેલું હોવા છતાં અને મુક્તિ ગમન યોગ્ય સામગ્રી મળે છતાં પણ કદાપિ તે કેવલજ્ઞાન પ્રગટ કરવાની ઈચ્છા જ પેદા ન થાય તે અભવ્ય જીવો જાણવા. પ્ર. ૧૭. જાતિભવ્ય જીવો કોને કહેવાય ? ઉ. : જે જીવોમાં (આત્મ પ્રદેશોને વિષે) તીરોભાવ રૂપે કેવલજ્ઞાન રહેલું હોય છે. પણ તે જીવોને કેવલજ્ઞાન પેદા કરવાની યોગ્યતા હોવા છતાં સામગ્રી મળવાની જ નહિ. અર્થાતુ અવ્યવહાર રાશીમાંથી કદી વ્યવહાર રાશીમાં આવવાના જનહિ એવા ભવ્ય જીવોને જાતિભવ્ય જીવો કહેવાય છે. પ્ર. ૧૮. દુર્ભવ્ય જીવો કોને કહેવાય ? ઉ. : જે જીવોનો એક પુદ્ગલ પરાવર્તથી અધિક યાવતુ સંખ્યાતા પુલ પરાવત, અસંખ્યાતા પુલ પરાવર્તી કે અનંતા પુદ્ગલ પરાવત કાળ સંસારમાં પરિભ્રમણનો બાકી હોય એટલે કે ચરમાવર્તકાળમાં જે ભવ્ય જીવો આવેલા ન હોય તે દુર્ભવ્ય જીવો કહેવાય છે. ૮૭ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy