SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫. ગુણસ્થાનકો કેટલા છે ? કયા ક્યા ? ઉ. ચૌદ. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક (૨) સાસ્વાદન ગુણસ્થાનક (૩) મિશ્ર ગુણસ્થાનક (૪) અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક (૫) દેશવિરતિ ગુણસ્થાનક (૬) પ્રમત્ત ગુણસ્થાનક (૭) અપ્રમત્ત ગુણસ્થાનક (૮) નિવૃત્તિ અથવા અપૂર્વકરણ ગુણસ્થાનક (૯) અનિવૃત્તિ અથવા બાદર સંપરાય ગુણસ્થાનક (૧૦) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક (૧૧) ઉપશાંત મોહ ગુણસ્થાનક (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક (૧૩) સયોગિ કેવલી ગુણસ્થાનક તથા (૧૪) અયોગિકેવલી ગુણસ્થાનક. પ્ર. ૬. ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ.: ગુણોનું જે સ્થાન તે ગુણસ્થાનક અથવા જીવના પોતાના સ્વભાવરૂપ જે જ્ઞાન દર્શન તથા ચારિત્રરૂપ જે ગુણો તે ગુણોની શુદ્ધિ, અશુદ્ધિ, રૂપ અથવા પ્રકર્ષઅપકર્ષ રૂપ જે ભેદો તેઓનું જે સ્થાન તે ગુણસ્થાનક કહેવાય છે. અથતુ જીવ આત્મીક ગુણોનો ધીમે ધીમે વિકાસ કરતો કરતો સંપૂર્ણ ગુણોના વિકાસને પામે એવા ઉત્તરોત્તર ગુણોના વિકાસના જે સ્થાનો તે ગુણસ્થાનો કહેવાય છે. પ્ર. ૭. મિથ્યાત્વ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : મિથ્યા=વિપરિત દ્રષ્ટિ એટલે કે શ્રી અરિહંત પરમાત્માઓએ પ્રરૂપેલા જીવાદિ પદાર્થોને વિષે વિપરિતપણાએ છે શ્રદ્ધા જેની તે મિથ્યા દ્રષ્ટિએ તેનું જે ગુણસ્થાન તે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૮. આ ગુણસ્થાનકમાં જીવોની શી સ્થિતિ હોય છે ? ઉ.: આ ગુણસ્થાનકમાં જીવોને જ્ઞાનાદિ ગુણોની વિશેષ કરીને અવિશુદ્ધિ મોટે ભાગે હોય છે. માટે જ્ઞાન ગુણનો યથાર્થ પ્રકમાં પેદા થતો નથી. એથી એ જ્ઞાન માટે ભાગે અજ્ઞાનરૂપે પરિણામ પામે છે. પ્ર. ૯. મિથ્યાત્વ ગુણસ્થાનકમાં કેટલા પ્રકારે મિથ્યાત્વ હોય છે ? કયા કયા ? ઉ. : બે. (૧) અવ્યક્ત મિથ્યાત્વ (૨) વ્યક્ત મિથ્યાત્વ. પ્ર. ૧૦. અવ્યક્ત મિથ્યાત્વ કોને હોય ? ઉ.: અવ્યવહાર રાશિમાં રહેલ સર્વ જીવોને તેમજ વ્યવહાર રાશિમાં આવ્યા બાદ પણ અસની પંચેન્દ્રિય જીવો સુધી અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. પ્ર. ૧૧. વ્યકત મિથ્યાત્વ કોને હોય ? ઉ. : વ્યવહાર રાશિમાં આવ્યા બાદ સની પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરેલ જીવોને વ્યક્ત મિથ્યાત્વ હોય છે. પ્ર. ૧૨. અવ્યવહાર રાશિ કોને કહેવાય ? ८६ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy