SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી, ગુરુ પ્રત્યે અવિનય કરવાથી, ક્રોધ કરવાથી, નિર્દય હૈયું રાખવાથી, એટલે કે પોતાના આત્માની પણ દયા પેદા ન થવાથી કોઈ પણ પ્રકારના વ્રત તથા નિયમોથી રહિત, મન-વચન-કાયાના યોગને અસંયમમાં અશુભ વ્યાપારમાં જોડવાથી, ઉત્કટ કષાયો રાખવાથી, કૃપણતા રાખવાથી, સારો ધર્મ કરવામાં પ્રમાદી, પોતાને, ૫૨ને અથવા બન્નેને દુઃખ પેદા કરવાથી, શોક પેદા કરાવવાથી, વધ કરવા કરાવવાથી,આક્રંદ કરવા તથા કરાવવાથી, વિલાપ કરવા તથા કરાવવાથી જીવો અશાતા વેદનીય કર્મને ઉપાર્જન કરે છે. ઉમ્મગંદેસણા-મગ્ગ, નાસણા દેવદવ્યહરણેહિં | દંસણમોહં જિણમુણિ,–ચેઇઅ-સંઘાઇ-પડિણીઓ ॥ ૫૫ I ભાવાર્થ : ઉન્માર્ગની દેશના દેવાથી, માર્ગનો નાશ કરવાથી, દેવ દ્રવ્યનું હરણ તથા ભક્ષણ કરવાથી, જિનમૂર્તિનો, મુનિનો, ચૈત્યનો નાશ કરવાથી, તથા તેના પ્રત્યે દ્વેષ કરવાથી તથા સંઘનો અવર્ણવાદ બોલવાથી જીવો દર્શન મોહનીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૯૧. દર્શન મોહનીય કર્મ જીવો કયા કયા કારણથી ઉપાર્જન કરે છે ? ઉ. : ઉન્માર્ગની દેશના આપવી એટલે કે ભગવાનના માર્ગની દેશના મોક્ષમાર્ગ માટેની દેશના હોય તે કહેવાય છે. જે સંસાર વધારે એવી જે દેશના હોય તે સંસારના કારણથી ઉન્માર્ગ દેશના કહેવાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે તે મોક્ષમાર્ગનો નાશ કરવો એનાથી, દેવદ્રવ્યનું તથા ચૈત્યદ્રવ્યનું ભક્ષણ કરવું, હરણ કરવું એની રક્ષા કરવાને બદલે ઉપેક્ષા કરવી, આનાથી જીવો દર્શન મોહનીય કર્મ ઉપાર્જન કરે છે તથા જિનેશ્વર ભગવાનની મૂર્તિ, સાધુ, મંદિર તથા સંઘના અવર્ણવાદ બોલવા તેમની અત્યંત આશાતના કરવાથી અને તેમનો નાશ કરવાથી પણ દર્શન મોહનીય કર્મ જીવો ઉપાર્જન કરે છે. કહ્યું છે કે ઃ વીતરાગના, શાસ્ત્રના, સંઘના, ધર્મના અને સર્વ દેવતાઓનાં અવર્ણવાદ બોલવા, તીવ્ર મિથ્યાત્વના પરિણામો કરવા, સર્વજ્ઞ તથા સિદ્ધદેવનો નિન્તવ કરવો, ધાર્મિક માણસોને દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાનો ઉપદેશ આપવો, અનર્થ કરવાનો આગ્રહ કરવો, અસંયમીની પૂજા કરવી, અવિચારીત કાર્ય કરવું, અને ગુરુ વગેરેની અવજ્ઞા ક૨વી ઈત્યાદીક દર્શન મોહનીય કર્મ ઉપાર્જન કરવાના આશ્રવો એટલે કારણો કહેલા છે. દુવિહંપિ ચરણમો ં, કસાયહાસાઇ-વિસય-વિવસમણો । બંધઇ નિરયાઉં મહા-રંભપરિગ્ગહ–રઓ રુદ્દો ।। ૫૬ ॥ Jain Education International ૭૯ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy