SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ નીચે જ્ઞાન મૂકીને સૂઈ જવું અને એ જ્ઞાનના સાધનને અક્ષરવાળા પુસ્તકો તથા કાગળોને ગમે ત્યાં રખડતા મૂકવા એ વગેરે પણ જ્ઞાનની આશાતના છે. તેનાથી પણ જીવો જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૮૮. દર્શનાવરણીય કર્મ જીવ કેવી રીતે બાંધે છે ? ઉ. : જ્ઞાનાવરણીય કર્મની જેમ દર્શનાવરણીય કર્મમાં પણ જાણવું તે આ રીતે ચક્ષુ એટલે આંખ વગેરે તથા સાધુ આદિના પ્રત્યે અનિષ્ટ આચરણ કરવાથી, દર્શનની પ્રાપ્તિ જેમનાથી થઈ હોય તેનું નામ ન બોલતાં બીજાનું નામ દેવાથી, તેમનો નાશ કરવાથી, તે દર્શન અને દર્શની પ્રત્યે દ્વેષ રાખવાથી, અપ્રીતિ કરવાથી, દર્શન-દર્શનીનો અંતરાય કરવાથી, ભકત પાન વસ્ત્ર વસતિ વગેરે ન દેવાથી, અત્યંત આશાતના કરવાથી જીવો દર્શનાવરણીય કર્મને ઉપાર્જન કરે છે. ગુરુભત્તિ-ખંતિ-કરુણા,-વય-જોગ-કસાય વિજય-દાણજુઓ ! દઢધમ્માઈ અજ્જઈ, સાયમસાયં વિવજ્જયઓ || ૫૪ || ભાવાર્થ : ગુરુભક્તિ કરવાથી, ક્ષમાં રાખવાથી, કરૂણા કરવાથી, વ્રત કરવાથી, મનવચન-કાયાના યોગને કાબુમાં રાખવાથી, કષાયોનો વિજય કરવાથી, દાન દેવાથી, દ્રઢ ધર્મપણ કરવાથી તથા આર્જવ એટલે સરલતા રાખવાથી જીવો શાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે તેનાથી વિપરીત વર્તનવાળા જીવો અશાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૮૯. શાતાવેદનીય કર્મ જીવો કયા કારણથી બાંધે છે ? ઉ.:દેવની પૂજા તથા ગુરુની સારી રીતે ભક્તિ કરવાથી (ગુરુમાં માતા-પિતાધમચા તથા સંસારમાં પોતાનાથી જે વડીલ હોય તે બધા ગુરુ તરીકે જાણવા.) ક્ષમાને ધારણ કરવાથી એટલે ક્રોધ કષાયને કાબુમાં રાખવાથી, દયાથી યુક્ત ચિત્ત રાખવાથી, એટલે કે પોતાના આત્માની તથા જગતના તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવાથી, વ્રત વગેરે ગ્રહણ કરવાથી-વ્રતથી પાંચ મહાવ્રત તથા પાંચ અણુવ્રત તથા કોઈ પણ નાનામાં નાના નિયમોનું સારી રીતે પાલન કરવાથી, મન વચન અને કાયાના યોગો અશુભ વ્યાપારમાં જતાં હોય તેને રોકવાનો પ્રયત્ન કરવાથી, શુભ વ્યાપારમાં જોડવાથી, કષાયોનો વિજય કરવાથી એટલે ક્રોધ, માન, માયા તથા લોભને કાબુમાં રાખવાથી, દાન દેવાની રૂચિવાળો, દ્રઢધર્મી એટલે કે આપત્તિનાં કાળમાં પણ ધર્મને ન મુકનાર, બાલવૃદ્ધ ગ્લાન આદિક જીવોનું વૈયાવચ્ચ કરવાથી, જિનમંદિર, જિનપૂજા વગેરેમાં તત્પર મનવાળા જીવો શાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૯૦. અશાતાવેદનીય કર્મ જીવો કયા કારણોથી ઉપાર્જન કરે છે ? ઉ.: શાતાવેદનીય કર્મ ઉપાર્જન કરવાના જે કારણો કહ્યા છે તેનાથી વિપરીત કારણોવાળા જીવો અશાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે તે આ રીતે ગુરુઓની અવજ્ઞા ૭૮ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy