SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચિન્દ્રિય જીવો ત્રસ કહેવાય છે. બાદર શરીરવાળા જીવો બાદર કહેવાય છે. પોતપોતાની પયપ્તિથી પર્યાપ્ત હોય તે પર્યાપ્તા કહેવાય છે. તે પર્યાપ્તા બે પ્રકારના છે. (૧) લબ્ધિ પર્યાપ્તા (૨) કરણ પર્યાપ્તા પ્ર. ૪૪૧. ત્રસ કોને કહેવાય ? ઉ. : જે જીવો સુખ મેળવવા અને દુઃખ કાઢવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તે ત્રસજીવો કહેવાય છે. પ્ર. ૪૪૨. ત્રસ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે જીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પોતાની ઈચ્છાથી જઈ શકે તે જે કર્મના ઉદયથી થાય તે ત્રસ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૪૩. ત્રસ નામકર્મના ઉદયવાળા જીવો કયા કયા હોય છે ? ઉં. : ત્રસ નામકર્મના ઉદયવાળા જીવો - બેઈન્દ્રિયવાળા-સ્પર્શેન્દ્રિય તથા રસનેન્દ્રિય. ત્રણ ઈન્દ્રિયવાળા-સ્પર્શેન્દ્રિય-રસના-ધ્રાણેન્દ્રિય. ચાર ઈન્દ્રિયવાળા-સ્પર્શના-રસના-ધ્રાણ-ચક્ષરીન્દ્રિય. તથા પંચેન્દ્રિય એટલે સ્પર્શના-રસના-પ્રાણ-ચક્ષુ તથા શ્રોત્રેન્દ્રિયવાળા જીવોઆ બધા જીવો ત્રસ નામકર્મના ઉદયવાળા કહેવાય છે. પ્ર. ૪૪૪. બાદર નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવો બાદર એટલે સ્થલ થાય છે તે બાદર નામકર્મ કહેવાય છે. પ્ર.૪૪૫. બાદર હોવા છતાં ચક્ષુથી દેખી શકાતા નથી? જેમ પૃથ્વીકાય જીવો બાદર હોવા છતાં એકએક જીવ દેખી શકાતો નથી ? ઉ.: બાદર નામકર્મ જીવ વિપાકી પ્રકૃતિ હોવાથી જીવને વિષે જ બાદરપણું કિંઈક થાય છે. પણ પુદ્ગલને વિષે થતું નથી. છતાં પણ શરીરને વિષે પણ કાંઈક બાદરપણું પ્રાપ્ત થઈ શકે છે તેથી જ અસંખ્યાત બાદર જીવો ભેગા થાય તો ચક્ષુથી ગ્રહણ થાય છે. પણ સૂક્ષ્મ જીવો ગ્રાહ્ય થતા નથી. જે કર્મની વિચિત્ર શક્તિ સમજવી. માટે સામાન્યથી જે કર્મના ઉદયથી જીવો બાદર થાય તે બાદર નામકર્મનો ઉદય કહેવાય પ્ર. ૪૪૬. પયાપ્તિ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? કઈ કઈ ? ઉ.: પતિ એટલે જીવન જીવવા માટે પગલોને ગ્રહણ કરી તે પગલોને પરિણમન કરવાની જે શક્તિ વિશેષ તે પયપ્તિ કહેવાય છે તે છ પ્રકારની છે - (૧) ૭૧ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy