SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આહાર પયપ્તિ (૨) શરીર પયપ્તિ (૩) ઈન્દ્રિય પયપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ (૫) ભાષા પતિ (૬) મન પયપ્તિ . - પ્ર. ૪૪૭. આહાર પયપ્તિ કોને કહેવાય ? અને તે કેટલા સમયની હોય છે ? ઉ. : જે આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને ખલ રસરૂપે પરિણમાવે છે. તે આહાર પયપ્તિ કહેવાય છે. તે એક સમયની હોય છે. પ્ર. ૪૪૮. શરીર પયપ્તિ કોને કહેવાય ? તે કેટલા સમયની હોય છે ? ઉ. : જે રસરૂપ આહારના પુલોને સાત ધાતુરૂપે પરિણામ પમાડે છે તે શરીર પયપ્તિ કહેવાય છે તે ઔદારીક શરીરવાળા તથા વૈકીય શરીરવાળા જીવોને અસંખ્યાત સમયવાળા અંતર્મહંતની હોય છે. પ્ર. ૪૪૯. ઈન્દ્રિય પર્યાપ્તિ કોને કહેવાય ? તે કેટલા સમયની હોય છે ? ઉ. : ધાતુરૂપ પરિણામ પામેલા પુદ્ગલોમાંથી ઇન્દ્રિયોરૂપે પરિણામ પમાડે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે તેનો કાળ ઔદારીક શરીરવાળા જીવોને અસંખ્યાત સમયવાળા અંતર્મુહૂતનો હોય છે જ્યારે વૈક્રીય શરીરવાળા જીવોને એક સમયનો કાળ હોય છે. પ્ર. ૪૫૦. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કોને કહેવાય? તેનો કેટલો કાળ કહેલો છે ? ઉ.: જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પગલોને ગ્રહણ કરવાની તેને પરિણાવવાની તથા તેને વિસર્જન કરવાની શક્તિ જે પેદા કરાવે તે શ્વાસોચ્છવાસ પયાપ્તિ કહેવાય છે. ઔદારીક શરીરવાળા જીવોને એક અંત-મુહૂતના કાળની હોય જ્યારે વૈકીય શરીરવાળા જીવોને એક સમયના કાળની હોય છે. પ્ર. ૪૫૧. ભાષા પર્યાપ્તિ કોને કહેવાય ? તેનો કાળ શાસ્ત્રોમાં કેટલો કહ્યો છે ? ઉ. : જગતમાં રહેલા ભાષા વર્ગણાના પગલોને ગ્રહણ કરવાની, પરિણમાવવાની તથા તેને વિસર્જન કરવાની જે શક્તિ જીવોને પ્રાપ્ત થાય છે તેને ભાષા પયપ્તિ કહેવાય છે. તેનો કાળ ઔદારીક શરીરવાળા જીવોને વિષે એક અંતર્મુહુત તથા વૈક્રીય શરીરવાળા જીવોને એક સમયનો કાળ હોય છે. પ્ર. ૪૫૨. મન પર્યાપ્તિ કોને કહેવાય ? તેનો કાળ કેટલો કહેલો છે? ઉ.: જગતમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની, પરિણાવવાની તથા તેને વિસર્જન કરવાની શક્તિ જે જીવોને વિષે પ્રાપ્ત થાય છે તે મનપયપ્તિ કહેવાય છે તેનો કાળ ઔદારીક શરીરવાળા જીવોને આશ્રયી એક અંતર્મુહૂત કહ્યો છે. વૈક્રીય શરીરવાળા જીવોને આશ્રયી એક સમયનો કહ્યો છે. પ્ર.૪પ૩. કયા કયા જીવોને કેટલી પયપ્તિઓ હોય છે ? ૭૨ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy