SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્ત થયા પછી તે કર્મનો ઉદય હોય છે. પ્ર. ૪૩૫. અગુરુલઘુ નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરૂ એટલે ભારે ન હોય તેમ લઘુ એટલે હલકું પણ ન હોય પણ જોઈએ તે પ્રમાણે સમતોલપણાવાળું પ્રાપ્ત થાય તે અગુરુલઘુ નામકર્મ કહેવાય. પ્ર. ૪૩૬. તીર્થંકર નામકર્મ કોને કહેવાય ? ઉ. જે કર્મનો ઉદય જીવોને ત્રણે લોકમાં પૂજનીક બનાવે તે તીર્થંકર નામકર્મ કહેવાય. પ્ર. ૪૩૭. તીર્થંકર નામકર્મનો ઉદય ક્યારે હોય ? ઉ. : તીર્થંકર નામકર્મનો ઉદય જીવ કેવલજ્ઞાન પામે અને તીર્થ પ્રવતવે ત્યારે હોય છે. અંગોવંગ-નિઅમણું, નિમ્માણ કુણઈ સુzહારસમાં ઉવઘાયા વિહમ્મઇ, સતણુવયવલંબિગાઈહિ ૪૭ ભાવાર્થ : અંગોપાંગની રચના વિશેષ રૂપ નિયમન કરવું જ્યાં જોઈએ ત્યાં મૂકવા તે સુથારની જેમ નિમણિ નામકર્મ જાણવું. પોતાના શરીરના અધિક અવયવો વગેરેથી જીવ પોતે ઉપઘાતને પામે એટલે દુખી થયા કરે (નાશ પામે) તે ઉપઘાત નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૩૮. નિમણિ નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી અંગ વગેરે જ્યાં જ્યાં ગોઠવવા યોગ્ય હોય ત્યાં તેની રચના વિશેષ ન કરે તે નિર્માણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૩૯. નિમણિ નામકર્મ કોના જેવું છે ? ઉ.: નિમણિ નામકર્મ સુથાર જેવું છે. જેમ સુથાર ટેબલ વગેરે બનાવવું હોય તો પહેલાં પાયા વગેરે તૈયાર કરી સુંદર બનાવે પછી જેવો હોંશિયાર હોય તે મુજબ ગોઠવીને સુંદર ટેબલ વગેરે બનાવે છે તેમ આ નિર્માણ નામકર્મ પણ જાણવું. પ્ર. ૪૪૦. ઉપઘાત નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી પોતાના શરીરના અવયવો લાંબા-ટૂંકા હોય તેના કારણે જીવ પોતે હણાય એટલે દુઃખી થયા કરે. જેમ લાંબી જીભ, ચોર, દાંત લાંબો હોય ઈત્યાદિથી જીવ પોતે હણાયા કરે તે ઉપઘાત નામકર્મ કહેવાય છે. બિતિચઉપસિંદિઅતસા, બાયરઓ બાયરા જિઆ ચૂલા ! નિઅનિઅપત્તિજૂઆ, પwતા લદ્ધિ-કરણહિં ૪૮ | 00 Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy