SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩૮૦. સંઘયણનો અર્થ શું ? કોને કહેવાય ? ઉ. : જેના વડે શરીરનાં પુદ્ગલો દ્રઢ કરાય છે. તે સંઘયણ કહેવાય છે, તે હાડકાંની રચના વિશેષરૂપ હોય છે. સંહન્યન્તે દ્રઢી ક્રિયન્તે શરીર પુદ્ગલા યેન તત્ સંહનનં તચ્ચ અસ્થિ નિચયઃ । પ્ર. ૩૮૧. સંઘયણો કેટલા પ્રકારના હોય છે ? કયા કયા ? ઉ. : છ. (૧) વજઋષભનારાચ સંઘયણ (૨) ૠષભનારાચ સંઘયણ (૩) નારાચ સંઘયણ (૪) અર્ધનારાચ સંઘયણ (૫) કીલિકા સંઘયણ અને (૬) છેવટ્ટુ અથવા સેવાત સંઘયણ. પ્ર. ૩૮૨. વજઋષભનારાચ સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉં. : બે હાડકાં મર્કટ બંધની જેમ બદ્ધ હોય તેના ઉપર પાટાની જેમ ત્રીજા હાડકાંથી વીંટાયેલ હોય અને તે ત્રણેયને ભેદે એવો વ્રજ જેવો ખીલો હાડકાનો હોય એવી જે હાડકાની રચના વિશેષ હોય છે તે વજઋષભનારાચ સંઘયણ કહેવાય. જે કર્મના ઉદયથી શરીરમાં વજૠષભનારાચ સંઘયણ હોય છે તે વજૠષભનારાચ સંઘયણ કહેવાય છે. પ્ર. ૩૮૩. ઋષભનારાચ સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : બે હાડકા મર્કટ બંધની જેમ બદ્ઘ થયેલ હોય તેના ઉપર ત્રીજા હાડકાનો આખોય પાટો રહેલો હોય તે ઋષભનારાચ સંઘયણ કહેવાય જે કર્મના ઉદયથી શરીરમાં ઋષભનારાચ સંઘયણ હોય છે, તેને ઋષભનારાચ સંઘયણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૮૪. નારાચ સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : બે હાડકાંઓ મર્કટ બંધની જેમ બદ્ધ થયેલા હોય તેને નારાચ સંઘયણ કહેવાય છે, જે કર્મના ઉદયથી જીવને શરીરમાં નારાચ સંઘયણ હોય છે. તેને નારાચ સંઘયણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૮૫. અર્ધનારાચ સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : એક બાજુ હાડકુ મર્કટ બંધની જેમ હોય અને બીજી બાજુ ખીલીની જેમ હાડકુ હોય તે અર્ધનારાચ સંઘયણ કહેવાય. જે કર્મના ઉદયથી શરીરમાં અર્ધનારાચ સંઘયણ હોય તેને અર્ધનારાચ સંઘયણ નામકર્મ કહેવાય છે, પ્ર. ૩૮૬. કીલિકા સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે હાડકાઓ માત્ર કીલિકાથી બદ્ધ થયેલા હોય તે કીલિકા સંઘયણ કહેવાય છે. કીલિકા - ખીલીની જેમ હાડકું, તેનાથી બંધાયેલ જાણવું = જે કર્મના ઉદયથી શરીરમાં કીલિકા સંઘયણ હોય તેને કીલિકા સંઘયણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૮૭. સેવાર્ત સંઘયણ નામકર્મ કોને કહેવાય ? Jain Education International ૬૨ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy