SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરમાં અંગોપાંગ હોય છે. પ્ર. ૩૫૫. અંગો કેટલા હોય છે ? કયા કયા ? ઉં. : શરીરના મુખ્ય અવયવોને અંગ કહેવાય છે તે આઠ પ્રકારના હોય છે. બે હાથ, બે સાથળ, પીઠ, મસ્તક, છાતી તથા પેટ. છે. પ્ર. ૩૫૬. ઉપાંગ કોને કહેવાય ? ઉ. : આંગળીઓ વગેરે, અંગોની સાથે રહેલા હોય તે ઉપાંગો કહેવાય છે. પ્ર. ૩૫૭. અંગોપાંગ કોને કહેવાય ? ઉ. : અંગો ઉપાંગોની સાથે રેખા, વેઢા વગેરે જે હોય છે તે-અંગોપાંગ કહેવાય પ્ર. ૩૫૮. અંગોપાંગ કેટલા શરીરમાં હોય છે ? કયા કયા ? ઉ.:ત્રણ. ઔદારિક શરીરમાં અંગોપાંગ હોય તેને ઔદારિક અંગોપાંગ, વૈક્રીય શરીરમાં અંગોપાંગ હોય તેને વૈક્રીય અંગોપાંગ અને આહારક શરીરમાં અંગોપાંગ હોય તેને આહા૨ક અંગોપાંગ કહેવાય છે. પ્ર. ૩૫૯. ઔદારિક અંગોપાંગ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઔદારિક શરીર રૂપે પરિણામ પામતાં હોય તેમાં અંગોપાંગ રૂપ વિભાગને પરિણામ પમાડી અંગોપાંગ ઉત્પન્ન કરનાર કર્મને ઔદારિક અંગોપાંગ નામકર્મ કહેવાય. પ્ર. ૩૬૦. વૈક્રીય અંગોપાંગ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે વૈક્રીય શરીર રૂપે પિરણામ પામતાં પુદ્ગલો તેમાં અંગોપાંગ રૂપે પરિણામ પમાડી અંગોપાંગ ઉત્પન્ન કરનાર કર્મને વૈક્રીય અંગોપાંગ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૬૧. આહારક અંગોપાંગ નામકર્મ કોને કહેવાય ? ઉં. : જે કર્મના ઉદયથી આહારક શરીર રૂપે પિરણામ પામતાં પુદ્ગલો અંગોપાંગ રૂપે પરિણામ પમાડી અંગોપાંગને ઉત્પન્ન કરે છે. તે આહારક અંગોપાંગ નામકર્મ કહેવાય છે. ઉરલાઇ-પુગ્ગલાણં, નિબદ્ધ-બ ંતયાણ સંબંધ | જં કુણઈ જઉસમેં તં, બંધણ-મુરલાઇતણુનામા || ૩૪ || ભાવાર્થ : બંધાયેલા તથા બંધાતા ઔદારિકાદિ પુદ્ગલોનો લાખની જેમ જે સંબંધ કરે તે ઔદારિકાદિ બંધન જાણવા. પ્ર. ૩૬૨, બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : ઔદારિકાદિ પૂર્વે બંધાયેલા પુદ્ગલોની સાથે નવા બંધાતા ઔદારિકાદિ Jain Education International ૫૮ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy