SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩૪૧, બેઈન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : સ્પર્શેન્દ્રિય તથા ૨સનેન્દ્રિય એ બેના ક્ષયોપશમ ભાવવાળા જીવને તે રીતે ઓળખાવનાર કર્મ તે બેઈન્દ્રિય કહેવાય. પ્ર. ૩૪૨. તેઈન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : સ્પર્શના, રસના તથા ઘ્રાણેન્દ્રિય એ ત્રણના ક્ષયોપશમ ભાવવાળા જીવને તે રૂપે ઓળખાણ કરાવનાર કર્મ તે તેઈન્દ્રિય. પ્ર. ૩૪૩. ચર્લરીન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : સ્પર્શના, રસના, ઘ્રાણ તથા ચક્ષુરીન્દ્રિય, એ ચારના ક્ષયોપશમ ભાવવાળા જીવને તે રૂપે ઓળખાવનાર કર્મ તે ચઉરીન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય. પ્ર. ૩૪૪, પંચેન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે જીવોને સ્પર્શના, રસના ઘ્રાણ, ચક્ષુ તથા શ્રોતેન્દ્રિયના ક્ષયોપશમ ભાવવાળા જીવોને પંચેન્દ્રિયપણાનો વ્યવહાર પ્રસિદ્ધ કરનાર કર્મ તે પંચેન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૪૫. ઔદારીક શરીર નામકર્મ કોને કહેવાય ? ઉ. : ઉદાર પ્રધાન. શ્રી તીર્થંકરો તથા ગણધર જીવોની અપેક્ષાએ શ્રેષ્ઠ કોટીનું જે શરીર તે ઔદારિક શરીર કહેવાય છે. કારણ કે તીર્થંકરો તથા ગોધર ભગવંતોના શરીરો અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓનાં શરીરો કરતાં અનંત ગુણ અધિક ક્રાંતિવાળા હોય છે. તથા ઉદાર એટલે મોટું. એક હજાર યોજનથી કાંઈક અધિક પ્રમાણવાળું હોય છે. જે કર્મના ઉદયથી ઔદારિક શરીરને યોગ્ય ઔારિક વગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઔદારિક શરીર રૂપે આત્મ પ્રદેશોની સાથે પરિણમાવીને સંબંધિત કરે તે ઔદારિક શરીર નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૪૬. વૈક્રીય શરીર નામકર્મ કોને કહેવાય ? ઉ. : વિવિધ પ્રકારની ક્રિયાને જે કરે તે વૈક્રિય. તે આ પ્રમાણે, એક થઈને અનેક થાય, અનેક થઈને એક થાય, અણુ થઈને મોટું થાય, મોટું થઈને નાનું થાય, આકાશમાં ચાલતું થઈને ભૂમિ પર ચાલતું થાય, ભૂમિ પર ચાલતું થઈને આકાશમાં ચાલતું થાય, દ્રશ્ય થઈને અદ્રશ્ય થાય, અદ્રશ્ય થઈને દ્રશ્ય થાય, વૈક્રીય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને વૈક્રીય શરીર રૂપે પરિણમાવીને કરે તે વૈક્રીય શરીર નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૪૭. વૈક્રીય શરીર કેટલા પ્રકારે હોય છે ? કયા કયા ? ઉ. : બે. (૧) ઔપપાતિક (ઉપપાત જન્મ) રૂપ (૨) લબ્ધિપ્રત્યયવાળું. Jain Education International ૫૬ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy