SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ લાકડાનાં છોડીયા જેવી, ગાયના મૂત્રના જેવી, ઘેટાના શિંગડાં જેવી, વાંસના મૂળિયા જેવી, અનુક્રમે માયા જાણવી તથા હળદળના રંગ જેવો, કાજળ જેવો, ગાડાની મસી જેવો, કિરમજી રાગ જેવો, અનુક્રમે લોભ જાણવો. | ૨૦ | પ્ર. ૨૬૬. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય તથા સંજવલન ક્રોધ કોના જેવો હોય છે ? ઉ. : અનંતાનુબંધી ક્રોધ પહાડમાં પડેલી ચીરાડ (તડ) જેવો હોય છે. જે થયા પછી મોટે ભાગે શમે નહિ. અપ્રત્યાખ્યાનીય ક્રોધ પૃથ્વીમાં તીરાડ (તડ) પડેલી હોય તેના જેવો હોય છે. જે ક્રોધના ઉદય પછી લાંબા ગાળે શમી જાય છે, પૃથ્વીની તીરાડ રેતી વગેરે ઉડતી ઉડતી આવતી હોય અને પૂરાય છે તેની જેમ . પ્રત્યાખ્યાનીય ક્રોધ રેતીમાં રહેલી રેખાની જેમ જાણવો. આ ક્રોધને શમતા બહુવાર લાગતી નથી જેમ પવન આવે અને રેતીની રેખા પૂરાઈ જાય છે તેમ આ ક્રોધના ઉદયવાળા જીવોને પાછળથી સમજાવતા શમી જાય છે. સંજવલન ક્રોધ પાણીમાં રેખા સમાન કહેલો છે, જેમ કાદવવાળી જગ્યામાં રેખા કરીએ તો તરત જ પૂરાઈ જાય છે. તેમ આ ક્રોધના ઉદયથી જીવોને ક્રોધ કદાચ થઈ જાય પણ તરત જ સમજાવતાં પાછો ફરી જાય છે અને શાંત થઈ જાય છે. પ્ર. ૨૬૭. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, તથા સંજવલન માન કોના કોના સરખું હોય ? ઉ. : અનંતાનુબંધી માન પથ્થરના થાંભલા સરખું જણાવ્યું છે કારણ કે પથ્થરના થાંભલાને વાળવો હોય તો વળતો નથી પણ બે ટુકડા થઈ જાય છે. તેમ આ માનના ઉદયવાળા જીવોમાં નમ્રતા પેદા કરાવી નમન કરાવવું હોય તો કદી તેઓ કરતા નથી. અપ્રત્યાખ્યાનીય માન હાડકાના સમુદાયને ભેગા કરી બનાવેલી લાકડી જેવું હોય છે. તે લાકડીને વાળવી હોય તો ઘણી મહેનત પડે. તેને તપાવીને તેલ વગેરેનું માલીશ કરતા કરતા ઘણા કાળે વળે છે. તેમ આ માન કષાયના ઉદયવાળા જીવોને ધીમે ધીમે સમજાવતા સમજાવતા ઘણા લાંબા ગાળે તેનામાં નમ્રતા આવે છે. પ્રત્યાખ્યાનીય માન લાકડાની લાકડી જેવું હોય છે. તે લાકડાની સોટીને બે છેડા ભેગા કરવા હોય તો તેમાં વાર લાગે છે તેમ આ માનના ઉદયવાળા જીવોમાં નમ્રતા પેદા કરવી હોય તો થોડી વાર લાગે છે. ઘણી વાર લાગતી નથી. સંજવલન માન નેતરની સોટી જેવું કહેલું છે. જેમ નેતરની સોટીને વાળવી હોય તો તરત જ વાળી શકાય છે. વાર લાગતી નથી તેમ આ માનના ઉદયવાળા જીવોને સમજાવીએ કે તરત જ તે નમ્ર બની જઈ માનનો ત્યાગ કરે છે. પ્ર. ૨૬૮. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય તથા સંજવલન માયા કોના કોના જેવી હોય છે ? ઉ. : અનંતાનુબંધીની માયા વાંસના મૂલીયાં જેવી કહેલી છે. જેમ વાંસનું મૂલીયું Jain Education International ૪૧ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy