SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈપણ વિદ્યમાન જીવો આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્યનો બંધ કરે છે. આ ગુણસ્થાનક મનુષ્યોને હોય છે. પ્રમતાદિ ગુણસ્થાનકોમાં આ કષાયો હોય છે. મનુષ્ય છકે ગુણઠાણે આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્યનો બંધ કરે છે. પ્ર. ૨૬૨. અનંતાનુબંધી કષાયો જીવને શું પ્રાપ્ત કરવા દેતા નથી અને શેનો નાશ કરે છે ? ઉ. : અનંતાનુબંધી કષાયો જે જીવોને ઉદયમાં હોય છે તે જીવો સમ્યકત્વ પામતા નથી. અર્થાત્ અનંતાનુબંધી કષાયો સમક્તિને પ્રાપ્ત કરવા દેતા નથી તથા કોઈ જીવોને સમક્તિની પ્રાપ્તિ થયેલી હોય પછી અનંતાનુબંધીનો ઉદય થાય તો તે સમક્તિનો નાશ કરે છે. માટે સમક્તિનો ઘાતક છે એમ કહેવાય છે. પ્ર. ૨૬૩. અપ્રત્યાખ્યાનીય કષાયો શું પ્રાપ્ત થવા દે નહિ ? અને શું પ્રાપ્ત થયેલ હોય તેનો નાશ કરે ? ઉ.: અપ્રત્યાખ્યાનાદિ કષાયો જીવોને થોડું પણ પચ્ચકખાણ (વ્રતનિયમાદિ) કરવા દેતા નથી અને જે જીવોને થોડા પણ વ્રત-નિયમો વગેરે ઉદયમાં આવેલ હોય તો આ કષાયોનો ઉદય તેનો નાશ કરે છે. અર્થાતુ જીવને પચ્ચકખાણ વગરનો કરે પ્ર ૨૬૪. પ્રત્યાખ્યાનાદિ કષાયો શું પ્રાપ્ત ન થવા દે ? અને પ્રાપ્ત થયેલાનો શું નાશ કરે ? ઉ. : પ્રત્યાખ્યાનાદિ કષાયો સર્વ પાપના વ્યાપારથી વિરામ પામવા રૂપ પચ્ચખાણ આવવા દેતા નથી કદાચ કોઈ જીવ સર્વ પાપ વ્યાપારથી વિરામના પચ્ચકખાણને પામેલો હોય તો આ કષાયોનો ઉદય તેનો નાશ કરાવે છે. પ્ર. ૨૬૫. સંજવલન કષાયો શું પ્રાપ્ત થવા ન દે ? અને શું પ્રાપ્ત થયેલાનો નાશ કરે ? ઉ. : જ્યાં સુધી સંજવલન કષાયો વિદ્યમાન હોય ત્યાં સુધી જીવોને વીતરાગતા (યથાખ્યાત ચારિત્ર) પ્રાપ્ત થતી નથી અને કદાચ કોઈ જીવો વીતરાગતાને (યથાખ્યાત ચારિત્રને) પામ્યા હોય તો આ કષાયોનો ઉદય તેનો નાશ કરે છે. જલ-રેણુ-પુઢવિ-પવય, રાઈસરિસો ચઉવિહો કોહો ! તિણિસલયા-કઢઢિઓ, સેલથંભોવમો માણો ! ૧૯ !! માયાવલહિ-ગોમુત્તિ-મિંઢસિંગ-ઘણવંસિમૂલ-સમા | લોહો હલિદખંજણ,-કદ્દમકિમિરાગસામાણો (સારિચ્છો) | ૨૦ || ભાવાર્થ : પાણીની રેખા, રેતીની રેખા, પૃથ્વીની રેખા તથા પર્વતની રેખા, સમાન ક્રોધ અનુક્રમે જાણવા, નેતરની લાકડી, કાષ્ટની સોટી, હાડકાંની સોટી, પથ્થરની સોટી સમાન અનુક્રમે માન જાણવા. ૪૦ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy