SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨૫૭. દેવાયુષ્યનો બંધ કયા કષાયના ઉદયમાં જીવો કરે છે ? ઉ. : દેવાયુષ્યનો બંધ જીવો અનંતાનુબંધી સંજવલન ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં વિદ્યમાન હોય ત્યારે કરી શકે છે. પ્ર. ૨૫૮. કયા કયા કષાયોના ઉદયમાં જીવો મરે તો ક્યાં જાય ? ઉ.: અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લોભના કષાયમાં જીવો મરે તો નરકમાં જાય. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનય-ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં મરણ પામે તો તિર્યંચમાં જાય. અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય-ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં જીવો મરણ પામે તો મનુષ્યમાં ઉત્પન્ન થાય. અને અનંતાનુબંધી સંજવલન-ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં જીવો મરણ પામે તો દેવપણામાં ઉત્પન્ન થાય છે. પ્ર. ૨૫૯. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી આદિ ચાર (૧૬) કષાયોમાં જીવો કયા કયા આયુષ્યનો બંધ કરે ? ઉ. : અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય સંજવલન, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય આદિ ૧૬ કષાયો ત્રીજા તથા ચોથા ગુણસ્થાનકે ઉદયમાં હોય છે અને ત્રીજા ગુણ સ્થાનકે કોઈ પણ જીવો આયુષ્યનો બંધ કરતા નથી. જ્યારે ચોથા ગુણસ્થાનકે દેવતા તથા નારકીના જીવોને આ કષાયો ઉદયમાં હોય ત્યારે તેઓ મનુષ્યના આયુષ્યનો બંધ કરે છે જ્યારે મનુષ્યો અને તિર્યંચો આ ગુણસ્થાનકે દેવ આયુષ્યનો બંધ કરે છે. માટે આ ૧૬ કષાયોના ઉદયમાં બે આયુષ્યનો બંધ કરે. પ્ર. ૨૬૦. પ્રત્યાખ્યાનાદિ ૧૬ કષાયોમાં જીવો કયા કયા આયુષ્યનો બંધ કરે ? ઉ.:પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય સંજવલન ક્રોધ, માન, માયા, લોભ રૂપે ૧૬ કષાયોમાં વિદ્યમાન જીવો દેવાયુષ્ય એકનો જ બંધ કરે છે. કારણ કે આ કષાયોનો ઉદય પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે હોય છે. અને તે તિર્યંચો તથા મનુષ્યોને હોય છે. તિર્યંચ મનુષ્યો આયુષ્ય બાંધે તો આ ગુણઠાણે દેવનું જ બાંધે છે. તે કારણથી એક આયુષ્ય કહ્યું છે. પ્ર. ૨૬૧. સંજવલનાદિ ૧૬ કષાયોના ઉદયથી જીવો કયા કયા આયુષ્યોને ઉપાર્જન કરે ? ઉ. : સંજવલન અનંતાનુબંધી, સંજવલન અપ્રત્યાખ્યાનીય, સંજવલન પ્રત્યાખ્યાનીય, સંજવલન સંજવલન રૂપ ક્રોધ, માયા તથા લોભ આદિ સોળ કષાયમાંથી ૩૯ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy