SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ છેદતાં છેદાતું નથી તેને બાળવાના કામમાં જ વપરાય છે. તેમ આ માયાના ઉદયવાળા જીવો એ માયાથી કદી પાછા ફરી શકતા નથી. અપ્રત્યાખ્યાની માયા ઘેટાંના શીંગડા જેવી હોય છે. જેમ એ શીંગડુ વળેલું હોય છે તેને સીધું કરતા ઘણો ટાઈમ લાગે છે તેમ આ માયાના ઉદયવાળા જીવોને સરલ બનતા ઘણો ટાઈમ લાગે છે. (એક વરસ જાય). પ્રત્યાખ્યાનીય માયાને શાસ્ત્ર ગાયના પેશાબ સરખી કહેલી છે. જેમ ગાય પેશાબ કરે તો વાંકુચંકુ પડે છે તેને સૂકાતા ટાઈમ લાગે છે તેમ આ માયાના ઉદયવાળા જીવોને સરલ બનતા થોડો ટાઈમ લાગે છે. સંજવલન માયાને શાસ્ત્ર લાકડાનાં છોડીયા છોલેલા હોય તેની ઉપમા આપેલ છે. કારણ કે લાકડાના છોડયા છોલતા બોલતા વળી જાય છે. તે સીધા કરવા હોય તો તરત જ થઈ શકે છે તેમ આ માયાના ઉદયવાળા જીવોને સમજ મળતાની સાથે જ તરત જ પાછા ફરીને સરલ બની જાય છે. પ્ર. ૨૬૯. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય તથા સંજવલન લોભને કોની કોની ઉપમાઓ આપેલી છે ? ઉ. : અનંતાનુબંધી લોભને શાસ્ત્રમાં કરમજી રંગ જેવી ઉપમા આપેલી છે. જીવોના લોહીથી રંગેલ કપડું તે કપડામાં રંગ એવો પાકો હોય છે. કે જે કાઢવા માગીએ તો પણ જાય નહિ. એની જેમ આ લોભના ઉદયવાળા જીવો કદી પાછા ફરી શકતા નથી. જેમ રેશમમાં લગાડેલ રંગ કાઢવાથી નીકળતો નથી તેની જેમ જાણવું. અપ્રત્યાખ્યાનીય લોભને શાત્રે ગાડાના પૈડાની મળી જેવો કહેલો છે. જેમ ગાડાના પૈડાની મળીનો રંગ લાગેલ હોય તો તેને કાઢવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તેમ આ લોભના ઉદયને કાઢવો હોય તો ઘણાં લાંબા ગાળા સુધી મહેનત કરે તો તે લોભ ઓછો થાય છે. પ્રત્યાખ્યાનીય લોભને આંખમાં આંજવાના કાજળની ઉપમા આપેલ છે. જેમ કાજળનો ડાઘ પડેલ હોય તો તેને કાઢવામાં થોડી મહેનત પડે છે તેમ આ લોભના ઉદયવાળા જીવોને નિર્લોભી બનવામાં થોડો પુરૂષાર્થ કરે તો બની શકે છે. સંજવલન લોભને શાસ્ત્રમાં હળદરના રંગ જેવો કહ્યો છે. જેમ હળદરના રંગનો ડાઘ પડેલ હોય તો તે સાબુમાં કાઢીને તડકે સુકવે તો નીકળી જાય છે તેમ આ સંજવલન . લોભના ઉદયથી મૂચ્છ વગેરે પેદા થાય પણ તે તરત જ તેનો નાશ થઈ જાય છે. આ રીતે ચારે કષાયના ૧૬ ભેદોની ઉપમા શાસ્ત્રોમાં કહેલી જણાવેલ છે. જસુદયા હોઈ જિએ, હાસ રઈ અરઈ સોગ ભય કુચ્છા ! સનિમિત્તમન્ના વા, તે ઈહ હાસાઇમોહણિય | ૨૧ છે. ૪૨ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy