SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : જે અર્ધશુદ્ધ દલીકના ઉદયવાળા જીવો હોય છે. એટલે કે મિશ્ર મોહનીયના ઉદયવાળા જીવોને જિનધર્મ ઉપર એક અંતર્મુહૂર્ત સુધી રાગ પણ હોતો નથી દ્વેષ પણ હોતો નથી. જ્યારે મિથ્યાત્વ મોહનીયના ઉદયવાળા જીવોને જિનધર્મથી વિપરીત બુદ્ધિ (મતિવાળા) હોય છે. પ્ર. ૨૩૬. મિશ્ર મોહનીયનું સ્વરૂપ શું હોય છે ? ઉ. : મિશ્ર મોહનીય કર્મના ઉદયથી એક અંતર્મુહૂર્ત સુધી જિનધર્મ પ્રત્યે રાગ (પ્રીતિ) અને દ્વેષ (અપ્રીતિ) હોતો નથી. પ્ર. ૨૩૭. જિનધર્મ પ્રત્યે પ્રીતિ થવી એનો અર્થ શું ? ઉ. ઃ : એકાન્ત નિશ્ચયાત્મક જિનધર્મ પ્રત્યે શ્રદ્ઘા પેદા થવી તેને પ્રીતિ કહેવાય છે. પ્ર. ૨૩૮. જિનધર્મ પ્રત્યે અપ્રીતિ થવાનો અર્થ શું ? ઉ. : એકાન્તે શ્રદ્ધાથી વિપરીત પરિણામ પેદા થવો. (અશ્રદ્ધારૂપ પરિણામ) નિંદાત્મક રૂપ અધ્યવસાય તે અપ્રીતિ કહેવાય છે. પ્ર. ૨૩૯. મિશ્ર મોહનીયના ઉદયવાળા જીવને જિનધર્મ પ્રત્યે રાગ અને દ્વેષ હોતો નથી. તે કેવી રીતે. તેનું કોઈ દ્રષ્ટાંત છે ? ઉ. : જેમ કોઈ નાળિયેર દ્વિપમાં મનુષ્યને અનાજ વગેરે આપવા માટે લઈને જાય પણ નાળિયેર દ્વિપના મનુષ્ય કોઈ દિવસ ચીજ જોયેલી ન હોવાથી એ અનાજ ઉપર તેને રાગ અને દ્વેષ બેમાંથી એકે પેદા થતા નથી. તેમ આ મિશ્ર મોહનીયના ઉદયવાળા જીવોનું જાણવું. પ્ર. ૨૪૦. મિથ્યાત્વ મોહનીય કોને કહેવાય અને તેનું સ્વરૂપ શું હોય છે ? ઉ. : મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલનો વિપાકોદય થાય છે. તે મિથ્યાત્વ મોહનીય કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે ઃ જે રાગ દ્વેષ-મોહાદિ દોષોથી યુક્ત અદેવ હોવા છતાં પણ તેમાં દેવપણાની બુદ્ધિ પેદા કરાવે છે. ધર્મના જાણકાર, ધર્મના કર્તા અને હંમેશાં ધર્મમાં પરાયણ તથા પ્રાણીઓને ધર્મના શાસ્ત્રોનાં અર્થનો ઉપદેશ આપનાર હોય તે ગુરુ કહેવાય છે. એવું ગુરુનું લક્ષણ કહેલું હોવા છતાં પણ આનાથી વિપરીત એવા જે ગુરુઓ ન હોય તેમાં ગુરુપણાની બુદ્ધિ પેદા કરાવે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહીપણું એ ધર્મ હોવા છતાં એનાથી પ્રતિપક્ષીપણામાં અધર્મમાં ધર્મપણાની બુદ્ધિ પેદા કરાવે એ મિથ્યાત્વનું સ્વરૂપ કહેવાય છે. હવે ચારિત્ર મોહનીયના ભેદોનું વર્ણન કરાય છે ઃ Jain Education International 34 For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy