SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) સમ્યક્ત્વ મોહનીય કર્મ. પ્ર. ૨૩૧. સમ્યક્ત્વ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જેમ કોદરા હોય છે તેને છાંડવામાં આવે તો થોડા તેના ફોતરાંથી શુદ્ધ થાય છે. થોડા કોદરામાં અડધા ફોતરાં ઉખડે છે. અડધા રહી જાય છે, અને ઘણા કોદરા એવા ને એવા ફોતરાંથી યુક્ત હોય છે. તેમ મિથ્યાત્વ મોહનીય રૂપી કોદરાને શુદ્ધ અધ્યવસાય (પરિણામ)થી શુદ્ધ કરવામાં આવે તો થોડા શુદ્ધ પુદ્ગલો થાય છે એટલે કે મિથ્યાત્વના મદ વગરના થાય છે. એ શુદ્ધ થયેલા દલીકોનું વિપાકથી વેદન કરવું તેને સમ્યક્ત્વ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૩૨. મિશ્ર મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. :મિથ્યાત્વ મોહનીય કર્મના દલીકને શુદ્ઘ અધ્યવસાયના કારણે શુદ્ધ કરતાં કોદરાની માફક કેટલા અર્ધશુદ્ધ દલીકો જે રહે છે. એ દલીકોને ઉદયમાં લાવીને વેદન કરવું તેને મિશ્ર મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૩૩. મિથ્યાત્વ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉં. : શુદ્ધ અધ્યવસાયના કારણે મિથ્યાત્વના દલીકોને શુદ્ધ કરતાં ઘણાં દલીકો એવાને એવા અશુદ્ધ કોટીના રહે છે, એ દલીકોને ઉદયમાં લાવીને ભોગવવા તેને મિથ્યાત્વ મોહનીય કર્મ કહેવાય છે, જિઅઅજિઅપુષ્ણપાવા-સવસંવરબંધમુનિજ્જરણા | જેણં સદ્દહઇ તયં, સમાંં ખઇગાઇ-બહુભેઅં ॥ ૧૫ | ભાવાર્થ : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા એ નવે તત્વોની જે સદ્ધહણા કરે તે ક્ષાયિકાદિ ઘણાં ભેદોવાળું સમ્યક્ત્વ હોય છે. ૫. ૨૩૪. સમ્યક્ત્વ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવોને જીવતત્વ, અજીવતત્વ, પુણ્યતત્વ, પાપતત્વ, આશ્રવતત્વ, સંવરતત્વ, બંધતત્વ, નિર્જરાતત્વ તથા મોક્ષતત્વ પ્રત્યે શ્રદ્ધા પેદા થાય તેને જાણવાની રૂચિ પેદા થાય તે સમ્યક્ત્વ કહેવાય છે. પ્ર. ૨૩૫. એ સમ્યક્ત્વ કેટલા પ્રકારે હોય છે ? ઉ. : એ સમ્યક્ત્વ ક્ષાયિકાદિ અનેક પ્રકારનું શાસ્ત્રોમાં કહેલું છે. જેમકે ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષયોપશમ સમ્યક્ત્વ, ઉપશમ સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ, સાસ્વાદન સમ્યક્ત્વ વગેરે ભેદો કહ્યા છે. મીસા ન રાગદોસો, જિણધર્મો અંતમુહુ જહા અને । નાલિય૨દીવ-મણુણો, મિ ં જિણધમ્મ વિવરીઅં ॥ ૧૬ | Jain Education International ૩૪ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy