SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યોને અશાતા વેદનીયનો પણ ઉદય હોય છે. તે કારણથી પ્રાયઃ શબ્દ કહેલો છે. પ્ર. ૨૨૫. અશાતા વેદનીયનો ઉદય કોને હોય છે ? ઉ. : પ્રાયઃ કરીને તિર્યંચોને તથા નારકીના જીવોને અશાતા વેદનીયનો ઉદય હોય છે. અત્રે પ્રાયઃ શબ્દ જણાવેલ છે તેનું કારણ એ છે કે કેટલાક રાજાઓના પટ્ટહસ્તિ ઘોડા વગેરે તિર્યંચોમાં શાતાનો ઉદય હોય છે. નારકીઓને વિષે જિનેશ્વર ભગવંતોના કલ્યાણકો વગેરેના દિવસોએ શાતા વેદનીયનો પણ ઉદય હોય છે. માટે પ્રાયઃ શબ્દ જણાવેલ છે. પ્ર. ૨૨૬. મોહનીય કર્મ કોના જેવું હોય છે ? શાથી? ઉ. મોહનીય કર્મ મદિરા (દારૂ) જેવું કહેલું છે. કારણ કે જેમ મદિરા પીધેલો માનવ ગમે ત્યાં ગમે ત્યારે શું કરે છે એની જરા પણ ખબર પડતી નથી તેમ મોહનીય કર્મને આધીન થયેલા જીવો સાર-અસારનાં વિવેકને પણ જાણી શકતા નથી અને એના કારણે સાચા તત્વને પણ સમજી શકતો નથી. પ્ર. ૨૨૭. મોહનીય કર્મ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.: બે. (૧) દર્શન મોહીનય (૨) ચારિત્ર મોહનીય. પ્ર. ૨૨૮. દર્શન મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : દર્શન = શ્રદ્ધા, મોહનીય = મુંઝવણ. જે સાચી યા ખોટી અથતિ સારાસાર રૂપની શ્રદ્ધા થયેલી હોય તેમાં જીવોને મુંઝવણ પેદા કરાવે તેનું નામ દર્શન મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૨૯. ચારિત્ર મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.: ચારિત્ર = ક્રિયા, મોહનીય = મુંઝવણ. જે સાચી યા ખોટી બન્ને પ્રકારની ક્રિયામાંથી કોઈ પણ પ્રકારની ક્રિયાથી જીવોને મુંઝવણ પેદા કરાવે અર્થાત્ સારાસાર રૂપ વિવેક વગરની ક્રિયામાં મુંઝવે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે. આ સામાન્ય અર્થ બન્નેમાં જણાવ્યા છે. સંસારી સઘળા જીવોને લાગુ પડે એવા અર્થમાં બન્નેના અર્થો જણાવ્યા છે. દિસણમોહં તિવિહં, સમ્મ મીસ તહેવ મિચ્છત્ત સુદ્ધ અદ્ધવિસુદ્ધ, અવિશસુદ્ધ તે હવઈ કમસો છે ૧૪ ભાવાર્થ : દર્શન મોહનીય કર્મ ત્રણ પ્રકારનું છે. સમ્યકત્વ, મિશ્ર તથા મિથ્યાત્વ. જે શુદ્ધ દલીકોન વેદનવાળું હોય તે સમ્યકત્વ મોહનીય કહેવાય અને જે અદ્ધશુદ્ધ દલીકોનાં વેદનવાળું હોય છે તે મિશ્ર મોહનીય તથા જે અશુદ્ધ દલીકોન વેદનવાળું હોય છે તેને મિથ્યાત્વ મોહનીય કર્મ ગણાય છે. પ્ર. ૨૩૦. દર્શન મોહનીય કર્મ કેટલા પ્રકારે હોય છે ? કયા કયા ? ઉ. ઃ ત્રણ. (૧) મિથ્યાત્વ મોહનીય કર્મ (૨) મિશ્ર મોહનીય કર્મ અને ૩૩ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy