SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. : દિવસે ચિંતવેલું (વિચારેલું) ઉપલક્ષણથી રાત્રિએ પણ ચિંતવેલું કાર્ય જે નિદ્રાવસ્થામાં હોય છતાં કરે તે થીણદ્વી નિદ્રા કહેવાય છે. અથવા ત્યાના - પિંડિંભૂત (સમુદાય રૂપ) ઋદ્ધિ આત્મશક્તિ (જેમાં આત્મશક્તિ પિંડીભૂત બને તે સ્ત્યાનદ્વી) એવા પ્રકારની જે નિદ્રા તે થીણદ્ધી કહેવાય છે. પ્ર. ૨૧૯. આ નિદ્રાવાળા જીવોને કેટલું બળ પ્રાપ્ત થાય છે ? ઉં. : આ થીણદ્વી નિદ્રાના ઉદય કાળે જીવોને પ્રથમ સંઘયણ હોય તેવા કાળમાં વાસુદેવના બળ કરતાં અડધું બળ પ્રાપ્ત થાય છે. જ્યારે વર્તમાન કાળમાં પ્રાયઃ કરીને જે બળ હોય છે, તેનાથી સાત આઠ ગણું બળ પ્રાપ્ત થાય છે. પ્ર ૨૨૦. : વેદનીય કર્મ કોના જેવું છે ? ઉ. : વેદનીય કર્મ તલવારની ધાર પર ચોંટેલા મધના જેવું હોય છે. જેમ તલવારની ધાર પર ચોટેલા મધને ચાટવાથી જીવને મધુર સ્વાદનો આનંદ થાય છે. પણ સાથે જ ધારના કારણે જીભ છેદાય તેની વેદના પણ થાય છે. પ્ર. ૨૨૧. વેદનીય કર્મ કેટલા પ્રકારે હોય છે ? કયા કયા ? ઉ. : બે. (૧) શાતા વેદનીય કર્મ (૨) અશાતા વેદનીય કર્મ. પં. ૨૨૨. શાતા વેદનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જેમ તલવા૨ની ધારને ચાટવાથી જીવને સુખનો અનુભવ થાય છે. એમ શાતા વેદનીય કર્મના ઉદયથી જીવોને સુખનો અનુભવ થાય છે. = પ્ર. ૨૨૩. અશાતા વેદનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જેમ તલવારની ધારને ચાટતાં જીભ છેદાય છે અને દુઃખનો અનુભવ થાય છે. તેમ આ કર્મના ઉદયથી જીવોને દુઃખનું વેદન થાય તે અશાતા વેદનીય કર્મ કહેવાય છે. ઓસન્ન સુરમણુએ, સાયમસાયં તુ તિરિઅ-નિરએસ । મજ્યું વ મોહણીઅં, દુવિહં દંસણ–ચરણમોહા ।। ૧૩ ।। ભાવાર્થ : બહુલતાએ મનુષ્ય અને દેવોને શાતા વેદનીયનો ઉદય હોય છે. નારકી અને તિર્યંચ જીવોને અશાતા વેદનીયનો ઉદય હોય છે. મોહનીય કર્મ મદિરા જેવું છે અને તે બે પ્રકારે હોય છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. પ્ર. ૨૨૪. શાતા વેદનીય કર્મનો ઉદય કોને હોય ? ઉ. ઃ પ્રાયઃ દેવતા તથા મનુષ્યોને શાતા વેદનીય કર્મનો ઉદય હોય છે. પ્રાયઃ શબ્દ મુકવાનું કારણ એ છે કે દેવતાઓને ચ્યવન કાળે અશાતા વેદનીયનો ઉદય હોય છે. જેલ વગેરેના બંધનોથી શીત વેદના, આતપ વેદના, વગેરેના કારણે Jain Education International ૩૨ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy