SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨૧૩. અવધિ દર્શનાવરણીય કર્મ કહ્યું તો પછી મન:પર્યવજ્ઞાનનું પણ દર્શનાવરણીય કર્મ હોવું જોઈએ તો શા માટે નથી ? ઉ. : મન:પર્યવજ્ઞાન તેવા પ્રકારના વિશિષ્ટ ક્ષયોપશમ ભાવથી પેદા થાય છે. અને તે સર્વ વિશેષોને જ ગ્રહણ કરે છે. સામાન્યને ગ્રહણ કરતું ન હોવાથી તેનું દર્શન હોતું નથી. તે કારણથી મન:પર્યવજ્ઞાનનું દર્શનાવરણીય કર્મ હોતું નથી. સુહપડિબોહા નિદા, નિદા નિદા ય દુર્મપડિબોહા / પહેલા ઠિઓવવિક્રમ્સ, પલપલા ઉ અંકમઓ ૧૧ છે. ભાવાર્થ : સુખપૂર્વક જગાડી શકાય (જાગી શકાય) તે નિદ્રા કહેવાય.બહુ કષ્ટ વડે કરીને જાગી શકાય એવી નિદ્રાને નિદ્રા નિદ્રા કહેવાય છે. ઊભા ઊભા અને બેઠા બેઠા ઉંઘે તે પ્રચલા. ચાલતાં ચાલતાં ઉઘે તે પ્રચલા પ્રચલા કહેવાય છે, પ્ર. ૨૧૪. નિદ્રા દર્શનાવરણીય કર્મ કોને કહેવાય? ઉ.: જે નિદ્રામાં રહેલા જીવો સહેલાઈથી જાગૃત થઈ શકે જરાક અવાજ થાય કે તરત જ જાગૃત થઈ જાય એવા પ્રકારના (નિદ્રા) વિપાકના વેદનવાળી કર્મ પ્રકૃતિ તે નિદ્રા દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૧૫. નિદ્રા નિદ્રા દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ. : જે નિદ્રાવસ્થાના કાળ પછી જાગૃત કરતાં ઘણું કષ્ટ પડે એવા પ્રકારનું વિપાકથી વેદવા યોગ્ય જે કર્મ તે નિદ્રા નિદ્રા કર્મ કહેવાય છે. પ્ર. ૨૧૬ પ્રચલા દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ. : જે દર્શનાવરણીય કર્મના ઉદયથી જીવોને ઊભા ઊભા અને બેઠા બેઠા ઉંઘ આવે તે પ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૧૭. પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવોને ચાલતાં ચાલતાં ઉંઘ આવે તેવી નિદ્રાને પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે. દિણચિંતિ-અન્ધકરણી, થાણદ્વી અદ્ધચકિ-અદ્ધબલા ! મહુલિત્તખગ્રુધારા-લિહણે વ દુહાઉ વેઅણિએ છે ૧૨ || - ભાવાર્થ : દિવસે ચિંતવેલું કાર્ય રાતના નિદ્રાના કાળમાં કરી આવે તે થીણધ્ધી નિદ્રા કહેવાય છે. આ નિદ્રાવાળા જીવોને પહેલા સંઘયણવાળાને વાસુદેવ કરતાં અડધું બળ હોય છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું વેદનીય કર્મ બે પ્રકારનું હોય પ્ર. ૨૧૮. થીણધી નિદ્રા કોને કહેવાય ? ૩૧ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy