SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧પ૬. પર્યાય શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : સુક્ષ્મ અપર્યાપ્તા લબ્ધિ નિગોદ ઉત્પત્તિના પહેલા સમયે વિદ્યમાન જીવોનું જે જ્ઞાન (શ્રુતજ્ઞાન) હોય છે.તે સર્વ જઘન્ય શ્રુતજ્ઞાન કહેવાય છે. એવા જીવોના જ્ઞાન કરતાં બીજા જીવોને જે એક અંશ (પર્યાય) અધિક જ્ઞાન તે પર્યાય શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૭. પર્યાય સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : લબ્ધિ અપર્યાપ્તા સુક્ષ્મ નિગોદયા જીવને જે શ્રુતજ્ઞાન હોય છે. તેનાથી બે ત્રણ આદિ પર્યાયો (અંશો) જ્ઞાન અધિક જે જીવોને હોય છે તે પર્યાિય સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૮. અક્ષર શ્રુતજ્ઞાન કોને કહેવાય છે ? ઉં. : અ અક્ષરથી માંડીને હકા૨ પર્યંતના અક્ષરોનું જ્ઞાન તે લધ્યક્ષર કહેવાય એવા લબ્બક્ષરમાંનો કોઈપણ એક લબ્બક્ષરનું જે જ્ઞાન પેદા થાય તે અક્ષરશ્રુત જ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૯. અક્ષર સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? : ઉ. ઃ જે એક લબ્બક્ષરનું જ્ઞાન હોય છે. એવા બે ત્રણ આદિ યાવત્ સંપૂર્ણ લન્ધ્યક્ષનું જે જ્ઞાન તે અક્ષર સમાશ્રુત જ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૦. પદશ્રુતજ્ઞાન કોને કહેવાય છે ? ઉ. : વાક્યની અને અર્થની પરિસમાપ્તિ રૂપ પદ અત્રે ગ્રહણ કરવાનું નથી પણ શાસ્ત્રોમાં જણાવેલ છે કે આચારંગ સૂત્ર અઢાર હજાર પદથી યુક્ત હોય છે તે સિવાયના બાકીના અંગો એથી ડબલ ડબલ પદોના પ્રમાણવાળા હોય છે તેમાંના કોઈ પણ એક પદનું સંપૂર્ણ જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પદશ્રુત જ્ઞાન કહેવાય છે. તે પ્ર. ૧૬૧. પદસમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : આચારાંગાદિ શાસ્ત્રોમાં જે પદોનું વર્ણન કરેલ છે એવા બે ત્રણ આદિ સઘળા પદોનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પદ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. ૫. ૧૬૨. સંઘાત શ્રુતજ્ઞાન કોને કહેવાય છે ? ઉ. : ગતિ આદિ ચૌદ પ્રકારની માર્ગણાઓ જણાવેલી છે તેમાં એક દેશ એટલે કે ગતિ આદિ ચૌદના ભેદો ૬૨ થાય છે તેમાંની કોઈ પણ એક માર્ગણાનું સંપૂર્ણપણે જ્ઞાન મેળવવું તે સંઘાત શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૩. સંઘાત સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : બાસઠ માર્ગણાઓમાંથી બે ત્રણ આદિ (યાવત્ સંપૂર્ણ) માર્ગણાઓનું જે જ્ઞાન તે સંઘાત સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૪. પ્રતિપત્તિ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : ગતિ આદિ મૂલ જે ચૌદ માર્ગણાઓ શાસ્ત્રોમાં જણાવેલી છે. તેમાંની Jain Education International ૨૩ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy