SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૫૦. અગમિક શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જ્યાં એકસરખા પાઠો આવતા ન હોય અક્ષરો પણ સરખા ન હોય તે અગમિક શ્રુતજ્ઞાન કહેવાય છે. કાલિક શ્રુત વગેરેમાં હોય છે તે. પ્ર. ૧૫૧. અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન કોને કહેવાય? ઉ.: ગણધર ભગવંતો વડે સૂત્ર ગુંથાયેલા હોય છે તે દ્વાદશાંગી એટલે (બાર અંગ) અથવા (૧૧ અંગો વર્તમાનમાં) છે, તે અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૨. અંગ બાહ્ય શ્રુતજ્ઞાન કોને કહેવાય | ઉ. ગણધર ભગવંતો સિવાય બીજા ચૌદ પૂર્વીઓ તથા આચાર્ય ભગવંતોએ દ્વાદશાંગીના આધારે જે જે સૂત્રો રચ્યા છે (બનાવ્યા છે, તે સઘળાંય આગમો અને સૂત્રો અંગ બાહ્ય શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૩. દ્વાદશાંગીના બાર અંગોના નામો કયા કયા છે? ઉ.: (૧) શ્રી આચારાંગ સૂત્ર (૨) શ્રી સૂયગડાંય સૂત્ર (૩) શ્રી ઠાણાંગ સૂત્ર (૪) શ્રી સમવાયાંગ સૂત્ર (૫) શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્ર (૬) શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર (૭) શ્રી ઉપાસક દશાંગ સૂત્ર (૮) શ્રી અંતકૃત દશાંગ સૂત્ર (૯) શ્રી અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) શ્રી વિપાક સૂત્ર અને (૧૨) શ્રી દ્રષ્ટિવાદ સૂત્ર. પજ્જયઅખર-પસંઘાયા, પડિવત્તિ તહ ય અણુઓગો / પાહુડપાહુડ-પાહુડ વત્યુ પુવા ય સસમાસા || ૭ | ભાવાર્થ : શ્રુતજ્ઞાનના વીસ ભેદો અનુક્રમે પયય, અક્ષર-પદ-સંઘાત-પ્રતિપત્તિ તથા અનુયોગ-પ્રાભૃત-પ્રાભૃત-પ્રાભૃત-વસ્તુ અને પૂર્વ એમ દશ-સમાસ સહિત પદ દરેક સાથે કરતાં વીસ ભેદો થાય છે. પ્ર. ૧૫૪. શ્રુતજ્ઞાનના વીસ ભેદો કયા કયા છે ? ઉ. : (૧) પયિ શ્રત (૨) પયય સમાસ શ્રત (૩) અક્ષર શ્રત (૪) અક્ષર સમાસ શ્રત (૫) પદ કૃત (૬) પદ સમાસ શ્રત (૭) સંઘાત કૃત (૮) સંઘાત સમાસ શ્રત (૯) પ્રતિપત્તિ શ્રત (૧૦) પ્રતિપત્તિ સમાસ શ્રત (૧૧) અનુયોગ શ્રુત (૧૨) અનુયોગ સમાસ શ્રત (૧૩) પ્રાભૃત પ્રાભૃત શ્રત (૧૪) પ્રાભૃત પ્રાભૃત સમાસ શ્રત (૧૫) પ્રાત કૃત (૧૬) પ્રાભૃત સમાસ શ્રત (૧૭) વસ્તુ શ્રત (૧૮) વસ્તુ સમાસ શ્રુત (૧૯) પૂર્વ શ્રુત અને (૨૦) પૂર્વ સમાસ શ્રત. પ્ર. ૧૫૫. પયય એટલે ? ઉ.: પાયિ એટલે નાનામાં નાનો અંશ જે સૂક્ષ્મરૂપે હોય જેના કેવળજ્ઞાની ભગવંતો પણ એકના બે ભાગ ન કરી શકે એવો જ્ઞાનનો જે સૂક્ષ્મ અંશ તે પર્યાય કહેવાય છે. ૨૨ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy