SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) અનાદિ શ્રુતજ્ઞાન (૯) સપર્યવસિત શ્રુતજ્ઞાન (૧૦) અપર્યવસિત શ્રુતજ્ઞાન (૧૧) ગમિક શ્રુતજ્ઞાન (૧૨) અગમિક શ્રુતજ્ઞાન (૧૩) અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન (૧૪) અંગબાહ્ય શ્રુતજ્ઞાન પ્ર. ૧૨૮. અક્ષર કેટલા પ્રકારના કહ્યા છે ? કયા કયા ? ઉં. ત્રણ. (૧) સંજ્ઞાક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લક્ઝક્ષર. પ્ર. ૧૨૯. સંજ્ઞાક્ષર કોને કહેવાય છે ? .: અનેક પ્રકારની લિપી (આકારો) જાણવી તે સંજ્ઞાક્ષર કહેવાય છે :(૧) હંસ લિપી (૨) ભૂત લિપી (૩) યક્ષ લિપી (૪) રાક્ષસી લિપી (૫) ઉઠ્ઠી લિપી (૬) યવની લિપી (૭) તુરૂષ્કી લિપી (૮) કીરી લિપી (૯) દ્રાવિડી લિપી (૧૦) સિંધવિકા લિપી (૧૧) માલવિની લિપી (૧૨) નટી લિપી (૧૩) નાગરી લિપી (૧૪) લાટ લિપી (૧૫) પારસી લિપી (૧૬) અનિમિત્તિકા લિપી (૧૭) ચાણક્યા લિપી અને (૧૮) મૂલદેવી લિપી-આ અઢાર પ્રકારની લિપી સંજ્ઞાક્ષરમાં આવે છે. પ્ર. ૧૩૦. વ્યંજનાક્ષર કોને કહેવાય ? ઉ.: અ થી લઈને હપર્યત સુધીના બારાખડીના અક્ષરનું જે જ્ઞાન તે વ્યંજનાક્ષર કહેવાય છે. સંજ્ઞાક્ષર તથા વ્યંજનાક્ષર અજ્ઞાનાત્મક હોવા છતાં જ્ઞાનનું કારણ હોવાથી શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૩૧. લધ્યક્ષર કોને કહેવાય ? ઉ. લધ્યક્ષર એટલે શબ્દ શ્રવણ આદિથી આત્મામાં અક્ષરરૂપનો ક્ષયોપશમ ભાવ પેદા થવો તે લધ્યક્ષર કહેવાય છે. પ્ર. ૧૩૨. અક્ષરગ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. ઉપર જણાવેલા ત્રણ ભેદો વડે (અક્ષરો વડે) અભિલાપ્ય પદાર્થોનું જે જ્ઞાન પેદા કરવું તે અક્ષરશ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૩૩. અનભિલાપ્ય પદાર્થો શું જગતમાં હોય છે ? કે જેથી અભિલાપ્ય ભાવોને શ્રતરૂપે કહ્યા છે ? ઉ. અનભિલાપ્ય પદાર્થો જગતમાં હોય છે અને જે અભિલાખ ભાવોને કહ્યા છે તે અનભિલાપ્ય પદાર્થોનાં અનંતમાં ભાગે છે. અને જે અભિલાપ્ય ભાવો (પદ) જગતમાં છે તેના અનંતમાં ભાગ જેટલા શ્રુતમાં ગુંથાયેલા હોય છે. જે કારણથી ચૌદ પૂર્વધરો અક્ષર જ્ઞાનથી સરખા હોય છે છતાં મતિ વિશેષથી છ સ્થાનવડીયા રૂપ-ગણાય છે. અને તે મતિ વિશેષો શ્રુતજ્ઞાન રૂપ જાણવા. પ્ર. ૧૩૪. અનક્ષર મૃત કોને કહેવાય ? ઉ. : આંગળીના ઈશારાથી અથવા માથાના કંપનથી મને બોલાવે છે કે મને ના પાડે છે. ઈત્યાદિ જે જ્ઞાન બીજાને પેદા થાય તે અનક્ષર શ્રત જ્ઞાન કહેવાય છે. ૧૯ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy