SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વગર જણાવે છે કે આ દેવાલય છે, ઈત્યાદિ અનિશ્રિત ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૨૦, નિશ્રિત ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે જીવો લિંગ નિશ્રાથી જાણી શકે એટલે કે ધજા-પતાકા આદિ દેખવાથી જણાવે છે કે આ મંદિર (દેવાલય) છે. તે નિશ્રિત ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૨૧. સંદિગ્ધ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે જીવો પોતાના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાન પેદા કરે તે સંશય યુક્ત ગ્રહણ કરે તે સંદિગ્ધ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે, પ્ર. ૧૨૨. અસંદિગ્ધ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે જીવો પોતાના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાન પેદા કરે તે સંશય વિનાનું પેદા કરી શકે તે અસંદિગ્ધ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૨૩. ધ્રુવ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે જીવો પોતાના ક્ષયોપશમ ભાવથી જ્ઞાન પેદા કર્યા પછી એવું ને એવું લાંબા કાળ સુધી યાદ રાખી શકે તે ધ્રુવ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૨૪. અધ્રુવ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉં. : જે જીવો પોતાના ક્ષયોપશમ ભાવથી જ્ઞાન પેદા કરે ત્યારે બરાબર યાદ હોય પણ લાંબા કાળ સુધી ટકી ન શકે તે અધ્રુવ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે, પ્ર. ૧૨૫. મતિજ્ઞાની જીવો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ તથા ભાવથી કેટલા દ્રવ્યો વગેરેનું જ્ઞાન કરી શકે ? ઉ. : મતિજ્ઞાની જીવો દ્રવ્યથી સઘળા દ્રવ્યોને જાણી શકે છે પણ દેખાતા નથી. ક્ષેત્રથી સઘળાંય ક્ષેત્રને જાણી શકે છે પણ દેખતા નથી. કાળથી સઘળાંય કાળને જાણી શકે છે પણ દેખતા નથી. ભાવથી સઘળાંય ભાવોને જાણી શકે છે પણ દેખવાને સમર્થ નથી. પ્ર. ૧૨૬. શ્રુતજ્ઞાનનાં કેટલા ભેદો હોય છે ? ઉ. શ્રુતજ્ઞાનનાં ચૌદ ભેદો અથવા વીસ ભેદો પણ હોય છે. અક્બર સન્ની સમ્મે, સાઈઅં ખલુ સપજ્જવસિઅં ચ । ગમિયં અંગપવિટ્ઝ, સત્ત વિ એએ સપડિવા ॥ ૬ ॥ ભાવાર્થ : અક્ષર-સન્ની-સમ્યક્-સાદિ-સપર્યવસિત-ગમિક-અંગપ્રવિષ્ટ એ સાત પ્રતિપક્ષી સાથે ગણતાં શ્રુતજ્ઞાનનાં ૧૪ ભેદો થાય છે. પ્ર. ૧૨૭, શ્રુતજ્ઞાનનાં ૧૪ ભેદો કયા કયા છે ? ઉ. : (૧) અક્ષ૨ શ્રુતજ્ઞાન (૨) અનક્ષર શ્રુતજ્ઞાન (૩) સન્ની શ્રુતજ્ઞાન (૪) અસન્ની શ્રુતજ્ઞાન (૫) સમ્યક્ શ્રુતજ્ઞાન (૬) મિથ્યા શ્રુતજ્ઞાન (૭) સાદિ શ્રુતજ્ઞાન ૧૮ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy