SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭૯. મતિજ્ઞાનના મુખ્ય ભેદો કેટલા છે? કયા કયા ? ઉ. : બે. (૧) શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન. (૨) અશ્રુત નિશ્રિત મતિજ્ઞાન. પ્ર. ૮૦. અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. :પ્રાયઃ કરીને શ્રુતના અભ્યાસ વિના પણ જે સ્વાભાવિક વિશિષ્ટ ક્ષયોપશમ ભાવ ઉત્પન્ન થાય તે અશ્રુત નિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૮૧. અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનના કેટલા પ્રકારો છે ? કયા કયા ? ઉ. : ચાર. (૧) ઔત્પાતિકી બુદ્ધિ (૨) વૈનયિકી અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન (બુદ્ધિ) (૩) કામિકી અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન (બુદ્ધિ) (૪) પારિણામિકી અશ્રુત નિશ્રિત મતિજ્ઞાન (બુદ્ધિ). પ્ર. ૮૨. ઔત્પાતિકી બુદ્ધિ કોને કહેવાય ? ઉ. : જીવોને જે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપક્ષમ ભાવે સ્વાભાવિક રીતે જે બુદ્ધિની નિર્મળતા (પેદા થાય) તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. જેમ આઠ વર્ષની ઉંમરના છોકરાને (રોહકને) ક્ષયોપશમ ભાવ હતો તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. પ્ર. ૮૩. વનવિકી બુદ્ધિ કોને કહેવાય ? ઉ. વડીલોનો ગુરૂ વગેરેનો વિનય કરવાથી સેવા શુશ્રુષા કરવાથી જે બુદ્ધિનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તે વૈયિકી બુદ્ધિ કહેવાય છે. પ્ર. ૮૪. કાર્તિકી બુદ્ધિ કોને કહેવાય ? ઉ. : કોઈ પણ કાર્ય કરતાં કરતાં શરૂઆતમાં કાર્યમાં એટલી બુદ્ધિ પેદા થતી નથી પણ ધીમે ધીમે વારંવાર કરતા કરતા જે બુદ્ધિનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તે કાર્મિકી બુદ્ધિ કહેવાય છે. પ્ર. ૮૫. પરિણામિકી બુદ્ધિ કોને કહેવાય ? ઉ. : દીર્ઘકાળનું પુવાર અર્થનું સ્વાભાવિક રીતે જે અવલોકન (જ્ઞાન) થવું તે જેમ વ્રજસ્વામિજીને પેદા થયેલું હતું તેમ પરિણામ પામેલી બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. પ્ર. ૮૬. શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : પહેલા કૃતના આધારે, કૃત ભણતાં ભણતાં પેદા થયેલી બુદ્ધિ અને વ્યવહાર કાલમાં શ્રુત બોલતા યાદ કરવું પડતું ન હોય તો પણ તે શ્રત નિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૮૭. શ્રુત નિશ્રિત મતિજ્ઞાનમાં કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ. ચાર. (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અપાય અને (૪) ધારણા. પ્ર. ૮૮. અવગ્રહ મતિજ્ઞાનના કેટલા ભેદો છે ? કયા કયા? ઉ. : એ. (૧) વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૨) અથવગ્રહ મતિજ્ઞાન. ૧૩ For Private and Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy